Gujarat

જેતપુરમાં પકડાયેલ અખાદ્ય પનીર 1310 કિલોગ્રામ મોટા જથ્થા નો નાશ કરવામાં આવ્યો

FSSAI માન્ય પરવાના વગર પનીર અને ક્રીમનું ફેક્ટરીમાં ઉત્પાદન કરવામાં આવતું.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પેઢીનું લાઈસન્સ સ્થગિત કરી બંધ કરવામાં આવ્યું.

જેતપુરના સોમનાથ ગાર્ડન સામે નકલી પનીર બનાવવાની ફેક્ટરી ગઈ કાલે ઝડપાય હતી ગાંધીનગર અને રાજકોટના ફ્રુડ વિભાગ દ્વારા ગઈકાલે અહીંયા નકલી અખાદ્ય પનીર બનાવવામાં આવે છે તેવી બાતમી મળતા દરોડાપાડવામાં આવતા અધ્યતન સાધન સામગ્રી સાથે મોટા જથ્થા સાથે બનાવવામાં આવેલ કેમિકલ દ્વારા નકલી પનીર ઝડપાયું છે જેનો આજે નગરપાલિકાના કચરા લઈ જતા ટ્રેક્ટર દ્વારા નાશ કરવામાં આવેલ હતો તેમજ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પેઢીનું લાઈસન્સ સ્થગિત કરી બંધ કરવામાં આવ્યુ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે જેતપુરના ચંદ્રમોલેશ્વર મંદિર પાસે મોઢવાડિ વિસ્તારમાં ગાંધીનગર અને રાજકોટ ફ્રુડ વિભાગને ગત તા.4 ના રોજ શંકાસ્પદ પનીર નું ઉત્પાદન થાય છે તેવી મળેલ બાતમીના આધારે દરોડો પાડવામાં આવેલ હતો. જેમાં રજવાડી ડેરી પ્રોડક્ટ નામે ડેરી યુનિટનું ઉત્પાદન માટેનું લાયસન્સ ધરાવતા હતા અને ડેરી પ્રોડક્ટ્સ અને એનાલોગસ માટેનું હોલસેલર તરીકેનું નું FSSAI નું લાઈસન્સ મેળવવા આવેલ હતું જ્યારે ફ્રુડ વિભાગને પનીર અને ક્રીમનું વગર પરવાને ઉત્પાદન કરતા હોવાનું માલુમ પડેલ હતું. તપાસ માં પનીર, ક્રીમ, દૂધ માં વનસ્પતિ તેલ ના ભેળસેળની પ્રબળ શંકા જતા તેમજ તમામ ઉત્પાદન કરવાની જગ્યા અનહાયજેનીક સ્થિતિમાં માલૂમ પડતા તેમાં કાર્યવાહી કરવામાં આવેલ હતી. ફેક્ટરી ના માલિક મયુરભાઈ મોહનભાઈ કોયાણીની દ્વારા ચલાવવામાં આવતી હતી જેમાં દૂધ, પનીર, ક્રીમ અને વનસ્પતિ તેલ ના એમ કુલ – ૪ (ચાર) નમુના લેવામાં આવેલ જ્યારે બાકીનો આશરે ૧૭૦૦ કિગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત આશરે રૂ. ૫ લાખ થી વધુ થવા જાય છે તે શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે. જયારે પનીર (૧૩૧૦ કિગ્રા) અને દૂધ (૨૦૦૦ લીટર) કે જેની અંદાજીત કિંમત આશરે રૂ. ૩.૮૦ લાખ થી વધુનો જથ્થો નાશ કરવામાં આવ્યો. લીધેલ તમામ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપેલ.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યના કમિશનર ડૉ. એચ. જી કોશિયાની યાદીમાં જણાવ્યા પ્રમાણે આ રેડ દમિયાં સ્થળ ઉપર તપાસ દરમિયાન બિનઆરોગ્યપ્રદ સ્થિતી માં પનીર, ક્રીમ અને દૂધ નું ઉત્પાદન થતું હોવાનું જોવા મળેલ જેથી ડેઝીગ્નેટેડ ઓફિસર, રાજકોટ દ્વારા પેઢી નું લાઈસન્સ સ્થગિત કરી બંધ કરવામાં આવેલ છે.આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે.

મોટાભાગનો પનીરનો જથ્થો મહારાષ્ટ્ર તરફ મોકલવામાં આવતો હતો અને છેલ્લા 8 મહિનાથી આ અખાદ્ય પનીર,તેમજ દૂધની લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તેવા
આવા હલકી કક્ષાના અને કેમિકલ માંથી બનાવેલા લોકોના આરોગ્ય માટે જોખમી એવા પનીર નો ઉપયોગ રેસ્ટોરન્ટ હોટલ વગેરે એ પણ ન કરવો જોઈએ તેમ લોકો કહે છે
લોકોના આરોગ્ય સાથે રમત કરતા અને પોતાના સ્વાર્થ માટે લોકોને બીમારી તરફ ધકેલતા આવા કેમિકલ યુક્ત નકલી પનીર બનાવતા નરાધમો સામે લોકોમાં મોટા પ્રમાણમાં રોષ ફાટી નીકળ્યો છે આવા લોકોને કડકમાં કડક સજા થાય તેવી લોકોની માંગ છે.