સનાતન પરંપરાના પ્રથમ પૂજ્ય દેવ ગજાનંદ મહારાજનો દિવ્ય ઉત્સવ આજથી પ્રારંભ થઈ રહ્યો છે તે અનુસંધાને સામાજિક કાર્યકર શ્રી *કિશોરભાઈ ચોટલીયા ની પૌત્રી કુમારી *હિતાક્ષી* ના હસ્તે પોતાના નિવાસ્થાને ગણપતિનું સ્થાપન કરવામાં આવેલ ગણપતિ દાદા ને હિતાક્ષી દ્વારા ગૃહ પ્રવેશ કરાવી સ્થાપન ઉપર બિરાજમાન કરાવવામાં આવેલ ત્યારબાદ દાદાને કંકુ ચોખા થી વધાવી ફૂલહાર કરી દાદાનુ પૂજન કરી ને દાદા ને પ્રિય એવા મોદકનો પ્રસાદ ધરી પરિવારના દરેક સભ્યો દ્વારા આરતી ઉતારવામાં આવેલ
આ શુભ પ્રસંગમાં હિતાક્ષીના પરદાદા શ્રી મોહનભાઈ દાદાશ્રી કિશોરભાઈ ચોટલીયા પિતાશ્રી રુંષાન્તભાઈ કાકાશ્રી અર્જુનભાઈ અને સૌનો લાડલો નાનો ભાઈ *અનિરુદ્ધ* તેમજ દાદી છાયાબેન ,મમ્મી વૈશાલીબેન ,કાકી જહાનવીબેન વગેરે ઉપસ્થિત રહી આ પ્રસંગ ઉત્સાહ,ઉમંગભેર ઉજવણી કરી ખૂબ જ ધન્યતા અનુભવે .
ગણેશઉત્સવના મંગલ પ્રારંભે વિઘ્નહર્તાદાદાને વંદન કરીને પ્રાર્થના કરીએ કે દરેકને સુખ શાંતિ અને સારી તંદુરસ્તી પ્રદાન કરો.