Gujarat

લંડનના સાયન્સ મ્યુઝિયમમાં અદાણી ગ્રુપની ગ્રીન એનર્જી ગેલેરી શરૂ

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ શુક્રવારે લંડનના સાયન્સ મ્યુઝિયમમાં ‘ધ અદાણી ગ્રીન એનર્જી ગેલેરી’ ખોલવાની જાહેરાત કરી હતી. આ એનર્જી ગેલેરી “સસ્ટેનેબલ ફ્યુચરને લઇને સાયન્ટીફીક વિઝન” દર્શાવશે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પોસ્ટ કરી કે “આ ગેલેરી ઓછી કાર્બન અને નવીનીકરણીય તકનીકો દ્વારા સસ્ટેનેબલ ફ્યુચરને લઇને સાયન્ટીફીક વિઝનરજૂ કરશે.” સાયન્સ મ્યુઝિયમની સ્થાપના ૧૮૫૭માં કરવામાં આવી હતી અને તે લંડનના મુખ્ય પ્રવાસી આકર્ષણોમાંનું એક છે.

અદાણી ગ્રુપ, ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનમાં મોખરે, તેની પાંચ કંપનીઓ – અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી પોર્ટ્‌સ એન્ડ જીઈઢ, છઝ્રઝ્ર અને અંબુજા સિમેન્ટ્‌સ માટે પણ તેની નેટવર્થમાં વધારો કરી રહી છે “અદાણી ગ્રુપ ભારતનું સૌથી મોટું સંકલિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર છે.”

અબજાેપતિ ગૌતમ અદાણીએ અગાઉ જણાવ્યું હતું કે તેઓ આગામી ૧૦ વર્ષમાં ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનમાં અંદાજે ઇં૧૦૦ બિલિયનનું રોકાણ કરશે, જેમાં ૨૦૨૭ સુધીમાં ૧૦ ય્ઉ સોલાર ઉત્પાદન ક્ષમતા ઉમેરવાની યોજના છે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અદાણી પોર્ટફોલિયો વ્યવસાયો ડીકાર્બોનાઇઝિંગ સહિત નવીન પાયલોટ પ્રોજેક્ટ્‌સ શરૂ કરવા માટે સક્રિય વ્યૂહરચના ધરાવે છે, જેનો ધ્યેય ૨૦૩૦ સુધીમાં ૧૦૦ મિલિયન વૃક્ષો વાવવા અને હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક ટ્રક વિકસાવવાનો છે. ૨૦.૮ ગીગાવોટ (ય્ઉ) સુધીના લૉક-ઇન ગ્રોથ ટ્રેજેક્ટરી સાથે, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (છય્ઈન્) પાસે હાલમાં ૯ ય્ઉ થી વધુનો ઓપરેટિંગ રિન્યુએબલ પોર્ટફોલિયો છે, જે ભારતમાં સૌથી મોટો છે, જે ૧૨ રાજ્યોમાં ફેલાયેલો છે.