Gujarat

M.A.M હાઈસ્કૂલ ટંકારીઆ ખાતે વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ યોજાયો..

તા.૧૨/૦૮/૨૦૨૩ ને મંગળવારના રોજ એમ.એ.એમ. સ્કુલ ટંકારીઆના મદની હોલમાં એપ્રિલ-૨૦૨૩ જૂનિયર કેજી થી લઈ ધોરણ – ૧૦ સુધીના માં ઉત્તીર્ણ થયેલ શાળાના તેજસ્વી તારલાઓને મેડલ અને પ્રમાણપત્ર આપી બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
તેમજ ઉપસ્થિત મહાનુભાવો શ્રી ઝૈનુંલઆબેદીન સૈયદ સાહેબ (જન શિક્ષણ સંસ્થાન ડિરેક્ટર એન્ડ મેમ્બર સેક્રેટરી ), અઝીઝભાઇ ટંકારવી (ગુજરાત ટુડેના માજી તંત્રી અને કવિ), મૌલાના અબ્દુલરજ્જાક અશરફી (મિશનના નિગરા), અબ્દુલભાઈ કામઠી (સમાજિક કાર્યકર્તા), મુબારકભાઈ ભાણીયા, મકબુલભાઈ અભલી (જિલ્લા પંચાયતના માજી સભ્ય), અબ્દુલભાઈ ટેલર (તાલુકા પંચાયતના સબ્ય), નાસીરભાઈ લોટીયા, સૈયદ છોટે સાહબ (માજી તલાટી), મેહબૂબભાઈ પટેલ (નબીપુર), ડોક્ટર ફરહાના પટેલ (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ટંકારીયા). કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરઆને પાકથી કરવામાં આવી. ત્યાર બાદ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હાજી ઇશાક પટેલ સાહેબે સ્વાગત પ્રવચન આપ્યું અને આચાર્યશ્રીને અવોર્ડ ઓફ ઓનરથી સંન્માનિત કર્યા.
ત્યારબાદ શાળા આચાર્યશ્રીએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન શ્રેષ્ઠ શિક્ષક તથા બેસ્ટ પર્ફોમર એવોર્ડની જાહેરાત કરી. અને ત્યારબાદ કવિ અને લેખક શ્રીઅઝીઝભાઇ ટંકારવીનું ગઝલ સંગ્રહનું પુસ્તક “ગઝલ ગુલઝાર” પુસ્તકનું વિમોચન મહાનુભાવો દ્વારા કર્યું અને ત્યારબાદ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં પ્રથમ, દ્રિતીય અને તૃતીય ક્રમાંકે પાસ થનાર ધોરણ : એલ.કે.જી થી લઇ ધોરણ : ૧૦ના વિદ્યાર્થીઓને મેડલ તથા પ્રમાણપત્ર ઉપસ્થિત મહાનુભાવો ના હાથે અર્પણ કરાયા હતા.
 
શાળાના પ્રમુખ પટેલ ઈશાક સાહેબ, તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો હાજર રહ્યા હતા. શાળાનાં આચાર્યશ્રીએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં ઉપસ્થિત દરેક મહાનુભાવોએ પોતાના જ્ઞાનરૂપી સાગરમાંથી વિદ્યાર્થીઓને મોતીરૂપી આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા હતા.  ઝળહળતું  પરિણામ લાવવા બદલ દરેક તેજસ્વી તારલાઓને મેડલ તેમજ ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા. અંતે શાળાના  શિક્ષકશ્રી પટેલ મુસ્તાકે આવેલ મોંઘેરા મહેમાનોને હૃદયપુર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
વિરલ ગોહિલ, ભરૂચ