” સર્વજન હિતાય, સર્વજન સુખાય” ના સુત્રને ખરાઅર્થમાં સાર્થક કરવા સમાજ સુરક્ષા પ્રભાગ તથા માન. કલેકટરશ્રી અમરેલી ના માર્ગદર્શન હેઠળ “CISS” પરીવાર ના દરેક સભ્ય સુધી સરકારની તમામ યોજનાનો લાભ પહોંચે તે હેતુથી થોડા સમય પહેલા પાંચ બાળકો એ પિતાનું છત્ર ગુમાવ્યું જેની જાણ તથા તાત્કાલિક ધોરણે બાળ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા અવસાન પામનાર પરિવારની મુલાકાત લઈને તેમના પત્નીને ગંગાસ્વરૂપ વિધવા સહાય યોજનાનો લાભ અપાવેલ તેમજ તેમના બાળકોના ભવિષ્યની ચિંતા કરી તેમને બાળ સંભાળ ગૃહમાં પ્રવેશ અર્થે સમજૂત કરેલ.
તેમજ આ કાર્યક્રમમાં બહેનને ગંગા સ્વરૂપા વિધવા સહાયનો હુકમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી આર.બી.ખેર સાહેબ દ્વારા આપવામાં આવેલ.


