Gujarat

ગુજરાતી ભાષા લેખનશુદ્ધિ અને વ્યાકરણ સજ્જતા શિબિરનો સમાપન કાર્યક્રમ યોજાયો.

ગુજરાતી ભાષા લેખનશુદ્ધિ અને વ્યાકરણ સજ્જતા શિબિરનો સમાપન કાર્યક્રમ યોજાયો.

માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ દ્વારા આયોજિત ગુજરાતી ભાષા લેખનશુદ્ધિ અને વ્યાકરણ સજ્જતા શિબિરનો સમાપન કાર્યક્રમ આજ રોજ વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ ખાતે યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ ગુરુકુળ,બોટાદનાં પૂજ્ય માધવસ્વરૂપદાસજી સ્વામીએ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતાં. પ્રવીણભાઈ ખાચર ‘પાર્થ'(શ્રેષ્ઠ શિક્ષક, કવિ,લેખક,સ્ટેજ સંચાલક), મયુરધ્વજસિંહ ભાટી ( સદસ્ય- નગર પ્રા.શિક્ષણ સમિતિ બોટાદ), રિજ્ઞેશભાઈ સાબવા (સંચાલક- વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ બોટાદ) ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનાં ઉત્સાહમાં વધારો કર્યો હતો. સ્વાગત સહ પ્રાસંગિક ઉદ્દબોધન પ્રા.વૈશાલીબહેન દવે દ્વારા કરવામાં આવ્યું હતું. આમંત્રિત મહેમાનોનાં વક્તવ્ય બાદ શિબિરાર્થીઓએ શિબિરનાં અનુભવો વર્ણવ્યા હતાં. આમંત્રિત મહેમાનોનાં હસ્તે તમામ શિબિરાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં. આભારવિધિ ભાવેશભાઈ પરમાર અને કાર્યક્રમનું સંચાલન ગૌરાંગભાઈ લવિંગીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
અહેવાલ કનુભાઈ ખાચર

IMG-20240529-WA0073-1.jpg IMG-20240529-WA0072-0.jpg