Gujarat

સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે એ.એસ.આઈ. શ્રી સોલંકીનો વિદાય સમારોહ યોજાયો

સાવરકુંડલાનાં વીજપડી ગામે વીજપડી આઉટપોસ્ટમાં કોન્સ્ટેબલથી એ.એસ.આઇ થયા ત્યાં સુધી તેમની ફરજમાં નિષ્ઠા પ્રામાણિકતા સાથે પોતાની નોકરીનો કાર્યકાળ પૂર્ણ થતાં તેમનું શાલ ઓઢાડી તેમનું સન્માન કરેલ હતું  સાદાઈથી યોજાયેલા આ વિદાય સમારોહમાં સાવરકુંડલાનાં રીપોર્ટર યાકુબભાઇ રસભર્યા, શ્રી સોલંકીની પ્રસંશા કરતાં જણાવ્યું હતું કે સોલંકીએ હેડકવાર્ટરમાં રહીનેં તમામ વર્ગોને સાથે રાખીને ઉત્તમ સેવાઓ આપી છે
આ વિદાય સમારોહમાં પત્રકારો સમીરભાઈ ખોખર, સંજયભાઇ વાધેલા,દાદુભાઇ બેલીમ, તથા સામાજિક કાર્યકરો મૂકેશભાઇ મકવાણા, તેજાભાઇ રબારી, અરવિંદભાઇ આંબલીયા, વિજયભાઈ ગીરનારી,ગૌપ્રેમી રાહુલભાઈ ડોડીયા, હાર્દિક ગોસાઇ, વગેરે ઉપસ્થિત રહી શ્રી સોલંકીનું સન્માન કરેલ હતું.
બિપીન પાંધી સાવરકુંડલા