જેસીઆઈ જુનાગઢ
રાજકીય તેમજ સામાજિક તેમજ રઘુવીર સમાજના સુપ્રીમો એવા જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા પોતાના જન્મદિવસ એક સપ્તાહમાં દરરોજ એક સેવાકીય પ્રવૃત્તિ દ્વારા ઉજવણી કરી રહ્યા છે ત્યારે આજરોજ ગિરનારની ગોદમાં આવેલ પારસધામ ખાતે સ્વ રંજનબેન દામાણીના સ્મરણાર્થે મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં સેવાના ભેખધારી એવા સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખશ્રી મનસુખભાઈ વાજાની રક્તતુલા કરવામાં આવેલ જેમાં વિશાળ સંખ્યામાં રાજકીય ક્ષેત્રના આગેવાનો સેવાકીય સંસ્થાના આગેવાનો સાથે જેસીઆઇ જુનાગઢના ડાયરેક્ટર શ્રી કિશોરભાઈ ચોટલીયા ઝોન વાઇસ પ્રેસિડન્ટ જેસી પાર્થભાઈ પરમાર તેમજ ઝોન અધિકારી શ્રી ચેતનભાઇ સાવલિયા વગેરે ઉપસ્થિત રહી આ અદભુત સેવા કાર્યને બિરદાવી શ્રી ગીરીશભાઈ ને જન્મદિવસ નિમિત્તે પુષ્પગુચ્છ અર્પણ
કરી શુભેચ્છા પાઠવેલ તેમજ શ્રી મનસુખભાઈ વાજાને સાલ ઓઢાડી હંમેશા જરૂરિયાત મંદ લોકોની સેવા કરતા રહે
તેવી શુભેચ્છા પાઠવેલ







