Gujarat

સાવરકુંડલા તાલુકાના ભુવા ગામમાં બળદ પ્રત્યેના પારિવારિક તાણાવાણાની ઝલક જોવા મળી.. બળદનું નિધન થતાં પરિવારનું સ્વજન ગુમાવ્યું હોય તેવાં ભાવ સાથે દુખી હ્રદયે સમાધિ આપી. 

સાવરકુંડલા તાલુકાના ભુવા ગામ આમ તો શિક્ષણપ્રેમી, ધર્મપ્રેમી અને જીવદયામાં અપાર શ્રધ્ધા ધરાવતું ગામ છે. અને એનું પ્રમાણ પણ એના સામાજિક જીવનમા જોવા મળે છે. વાત જાણે એમ છે કે ભુવા ગામમાં જયસુખભાઈ ભગવાનભાઈ ભાલાળાનો બળદ ઉંમર ૨૧ વર્ષનું  અવસાન થતાં ખૂબ જ દુખી હૈયે એને  સમાધિ આપવામાં આવી હતી.. આમ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના સંસ્કારના દર્શન અહીં થતાં જોવા મળ્યા… એક બળદના નિધનથી સમગ્ર પરિવાર શોકાતુર બન્યો. આમ બળદ પણ જાણે પરિવારનો જ એક સભ્ય હોય તેવી રીતે તેની અંતિમવિધિ  કરવામાં આવી.

IMG-20240213-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *