Gujarat

અનુભૂતિ ધામ ખાતે  C I S F.  ના  300 થી વધારે જવાનોએ તનાવ મુક્ત કેવી રીતે રહેવાય તે વિશે માર્ગદર્શન અપાયું 

સુરક્ષા કર્મચારી તેઓના કાર્ય ક્ષેત્રમાં પણ તણાવ મુક્ત કેવી રીતે રહેવાય તે વિષય પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યો
ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા લોક જન હિતમાં તેવો વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે  ગત તારીખ 7 /8 / 2024 ને બુધવારના રોજ સાંજે ચાર થી સાત કલાકે અંકલેશ્વર ongc ના ત્રણ યુનિટના અંકલેશ્વર ગેલ અને ગધાર આમ ત્રણ યુનિટના CISF ના 300 થી વધારે સુરક્ષા કર્મચારીઓને તનાવ મુક્ત કેવી રીતે રહેવાય તે વિષય પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં બ્રહ્માકુમારી માઉન્ટ આબુ થી પધારેલ ડોક્ટર  ઈ વી સ્વામીનાથમ ભાઈ કે જેવો માઉન્ટ આબુ સિક્યુરિટી વિગ માં છેલ્લા 28 વર્ષથી જેવો સેવા  કાર્ય માં કાર્યરત છે તેઓએ સુંદર માર્ગદર્શન આપ્યું હતું કે દરેક વ્યક્તિએ જીવનમાં તંદુરસ્ત રહેવું ખૂબ જરૂરી છે જેવો એ જણાવ્યું હતું કે આપણા જીવનમાં તણાવ ખાસ એટલા આવે છે કે આપણી આંતરિક શક્તિ ઓછી  થઈ જાય છે ત્યારે આપના જીવનમાં તનાવ આવે છે પરંતુ આપણે તનાવ ને દૂર કરવા માટે વ્યાયામ .શુદ્ધ ભોજન અને ધ્યાન  યોગ કરવાથી આપણે તંદુરસ્ત રહી શકીએ છીએ
ત્યારે આ કાર્યક્રમમાં બી કે કર્નલ સતિષભાઈ  અને કેપ્ટન્સ સિવસિંગ ભાઈજી ખાસ ઉપસ્થિત
રહ્યા હતા અને તેઓએ પણ તનાવ મુક્ત કેવી રીતે રહેવાય તે વિશે માર્ગદર્શન આપ્યું હતું   કાર્યક્રમમાં 300 થી વધુ સુરક્ષા કર્મચારીઓને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે જેઓ કાર્ય સુરક્ષા કર્મચારીઓ પોતાના કાર્ય ક્ષેત્રમાં પણ તંદુરસ્ત રહી તણાવ મુક્ત રહે એ માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર ongc ના CISF  ત્રણેય યુનિટના વિશેષ અધિકારીઓ ઇન્સ્પેક્ટર સિંઘમ મણી ઇન્સ્પેક્ટર  મનહરલાલ ઇસ્પેક્ટર પવન કુમાર જેવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
વિરલ ગોહિલ, ભરૂચ