Gujarat

અંકલેશ્વરમાં પશુપતિનાથ મહાદેવ મંદિરમાં તસ્કર ત્રાટક્યા

૫ કિલોથી વધુ ચાંદીના દાગીનાની ચોરી કરી ચોર પલાયન

ભરૂચ,
અંકલેશ્વરમાં તસ્કરોએ ભગવાનના ઘરને નિશાન બનાવ્યું છે. પશુપતિનાથ મહાદેવ મંદિરમાં તસ્કર ત્રાટક્યા હતા. તસ્કરોએ ભગવાનના આભૂષણોની ચોરી કરી હતી. આ તસ્કર સીસીટીવીમાં કેદ થયા હતા. બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ અનુસાર બે તસ્કર મંદિર પરિસરમાં જાેવા મળ્યા હતા.

આ બે તસ્કરો સવારે ૩.૪૫ વાગ્યાના અસરમાં નજરે પડયા હતા. ૫ કિલોથી વધુ ચાંદીના દાગીનાની ચોરી કરી ચોર પલાયન થઇ ગયા હતા. ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બનાવ સંદર્ભે અંકલેશ્વર પોલીસે તપાસ શરૂ કરી છે.

File-02-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *