Gujarat

ચોટીલામાં જાનીવડલાની સીમમાં પાસે ૩૬.૩ કિલો લીલા ગાંજાના છોડ પોલીસે ધરપકડ કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક પ્રકારનાં કેફી પદાર્થો વડે નશાખોરી કરનારા પણ વધતા જાય છે જેઓને નસીલા પદાર્થની ખાનગીમાં ખેતી પણ થાય છે, જિલ્લા એસઓજી ની ટીમે ચોટીલાનાં જાનીવડલા ગામની સીમમાં બાતમીના આધારે ગાંજા નો ઉભો પાક સાથે એક શખ્સની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલા તાલુકામાં કેટલાક વિસ્તારોમાં નશાકારક ગાંજા ની ખેતી અન્ય ખેતી પાક ની આડમાં કરવામાં આવતી હોય છે અગાઉ પણ અનેક સીમ વિસ્તારમાંથી ગાંજા ની ખેતી ઝડપાયેલ છે

જેથી જિલ્લા ની બ્રાન્ચો સતત ખાનગી રાહે સતત વોચ રાખેલએસ ઓ જી ના પીઆઇ બી. એચ. સિંગરખીયા ને ખાનગી રાહે બાતમી મળેલ કે જાનીવડલા ગામનાં સીમ વિસ્તારમાં ખીમાભાઇ સામતભાઈ રબારીનું વર્ષો થી ભાગીયુ વાવતા રાજપરા ગામના રોજાસરા ગોવિંદભાઈ કુકાભાઇ એ ખેતરમાં કપાસ તુવેરનાં ઉભા પાકની આડાશમાં વચ્ચે વચ્ચે ગાંજાનું વાવેતર કરેલ છે.હકિકતનાં આધારે સ્ટાફ સાથે દરોડો પાડી ખેતરમાં તલાસી લેતા ખેતરની બંન્ને તરફ નાના મોટા ૩૦ જેટલા લીલા ગાંજાનાં છોડ મળી આવતા ધોરણસરની કામગીરી હાથ ધરેલ હતી કલાકો ની જહેમત બાદ આશરે ૩૬. ૩૦૦ કિ . ગ્રા લીલા ગાંજાનાં રૂ. ૩.૬૩ લાખ નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપીને અટક કરેલ હતી આ પ્રકરણમાં ઝડપાયેલ આરોપીની વધુ પુછતાછ કરતા આ છોડ નું બિયારણ અજાણ્યા સાધુ પાસેથી લીધું હોવાની વિગત જાણવા મળે છે.

ચોટીલા પોલીસમાં નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરાવી તપાસ નાની મોલડીનાં પીઆઇ એન. એસ. પરમાર ને સોંપવામાં આવેલ છે. ચોટીલા પંથકમાં અનેક લોકો નશાની લત ધરાવે છે ખાસ કરીને પોશ ડોડવા ઠાલીયાના વ્યસનીઓને પરવાન ઈશ્યુ નહીં થતા જેઓ આ નશીલા પદાર્થનું વેચાણ લાયસન્સ ધરાવનારની દુકાને માસિક નિયત કરેલ જથ્થો વેચાતો લેતા હતા પરંતુ સરકારે આ પરવાના પ્રથા રદ કરતા વ્યસની લોકો અન્ય નશીલા પદાર્થ તરફ વળતા ગેરકાયદેસર એવા ગાંજાનું વાવેતર ખાનગીમાં વધતું હોય તેવું અનુમાન સેવાય છે ચોટીલા પંથકમાં અનેક ડુંગરાળ અને નાની મોટી ટેકરીઓ અને મોટો સીમ વિસ્તાર આવેલ છે.

છેલ્લા ઘણા સમય થી અલગ અલગ વિસ્તારોમાંથી પોલીસના હાથે ગાંજાના વાવેતર ઝડપાયેલ છે. અભણ અને કાયદાથી અજાણ ખેડૂતો પાસે કોઇ ચોક્કસ લોકો આવા નશીલા પદાર્થ ની ખેતી કરાવે છે કે કેમ? તેવી આશંકા સાથે ભૂતકાળનાં આવા પ્રકારનાં ગુનાને નજરમાં રાખી ખાનગી રાહે તપાસ ચાલતી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળે છે.