Gujarat

લીલા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાતા અન્નદાતા ખેડુતોને સહાય ચુકવવા રજુઆત

ધારાસભ્ય કસવાલા દ્વારા રાજયના કૃષી મંત્રીને કરાઈ લેખીત અને મૌખીક રજુઆત
શીંગ, કઠોળ અને કપાસની તબાહી, અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરાવી નિયમ મુજબની સહાય ચુકવવાની માંગણી કરતા શ્રી મહેશ કસવાલા
આંબરડી, થોરડી, દોલતી, આદસંગ, ગોરડકા, મેરીયાણા, છાપરી અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ અને વાવાઝોડાથી થયેલ નુકશાનીની ઝડપથી સર્વે થવી જોઈએ : શ્રી કસવાલા
સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઇ કસવાલાએ કૃષીમંત્રી રાઘવજીભાઇ પટેલને રજુઆત કરી જણાવ્યુ હતુ કે, ૧૬/૧૦/૨૪ સાવરકુંડલા તાલુકાના આંબરડી, થોરડી, દોલતી, સાવરકુંડલા તાલુકામાં તાજેતરમાં ભારે અતિભારે વરસાદના કારણે ખેડૂતોના તૈયાર થયેલ પાક નિષ્ફળ ગયેલ છે
ગત તા.૧૬-૧૦-૨૦૨૪ના રોજ સાવરકુંડલા તાલુકાના આંબરડી, થોરડી, દોલતી, આદસંગ, ગોરડકા, મેરીયાણા, છાપરી ઉપરાંત આજુબાજુ વિસ્તારમાં ખુબજ પવન સાથે અતિભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોનો ખેતીનો પાક શીંગ, કઠોળ તેમજ કપાસના પાકને ખુબજ મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે અને લીલા દુષ્કાળની સર્જાયેલી છે જેથી ખેડૂતોને આર્થીક રીતે મદદરૂપ થઇ શકાય તે માટે થયેલ નુકશાનીનો તાત્કાલીક સર્વે કરાવી સરકારશ્રીના નિયમો મુજબ સહાય ચુકવવા માટે અનેક ખેડૂતો દ્વારા અમોનેમૌખીક રજુઆત કરેલ છે.
ઉપરોકત રજુઆત અન્વયે ખેડૂતોના હિતને ઘ્યાનમાં રાખી અને આર્થીક રીતે નુકશાન ન થાય તે માટે મારા વિધાનસભા મત વિસ્તારમાં ભારે વરસાદને કારણે તૈયાર થયેલ પાક નુકશાન થયેલ હોય જેનું સર્વે કરાવી તાત્કાલીક નિયમો મુજબની આર્થીક સહાય ચુકવવા માટે ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલાએ કૃષી મંત્રીશ્રીને રજુઆતમાં જણાવ્યુ હતુ તેમ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ શ્રી જે.પી.હિરપરાએ અખબારીયાદીમાં જણાવાયુ હતુ.
બિપીન પાંધી