Gujarat

ખેડૂતોના આંદોલન વચ્ચે રાહુલ ગાંધીએ મોટી જાહેરાત કરી

ખેડૂતોના આંદોલન વચ્ચે રાહુલ ગાંધીએ મોટી જાહેરાત કરી છે. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કર્યું કે ‘ખેડૂત ભાઈઓ, આજે ઐતિહાસિક દિવસ છે! કોંગ્રેસે સ્વામીનાથન કમિશન મુજબ દરેક ખેડૂતને પાક પર સ્જીઁની કાયદેસર ગેરંટી આપવાનો ર્નિણય કર્યો છે. આ પગલું ૧૫ કરોડ ખેડૂત પરિવારોની સમૃદ્ધિ સુનિશ્ચિત કરીને તેમના જીવનમાં પરિવર્તન લાવશે. ન્યાયના માર્ગ પર કોંગ્રેસની આ પ્રથમ ગેરંટી છે. રાહુલ ગાંધીએ જાહેર સભામાં પણ આ જ વાતનું પુનરાવર્તન કર્યું અને કહ્યું કે ખેડૂતો બીજું કંઈ માગતા નથી. તે માત્ર પોતાના હકની માંગ કરી રહ્યા છે. જ્યારે તે આ માંગ માટે દિલ્હી તરફ જઈ રહ્યા છે ત્યારે તેમને રોકવામાં આવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, સ્વામીનાથન જીએ તેમના રિપોર્ટમાં સ્પષ્ટ કહ્યું છે કે ખેડૂતોને સ્જીઁની કાયદાકીય ગેરંટી મળવી જાેઈએ. હું અહીં કહેવા માંગુ છું કે જાે ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનશે, તો અમે સ્વામીનાથન જીના અહેવાલને લાગુ કરીશું. અમે તમને સ્જીઁની ખાતરી આપીશું. એટલું જ નહીં રાહુલ ગાંધીએ કહ્યું કે આ પહેલી વાત છે જે અમે કહી છે. અમારો મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવી રહ્યો છે અને તેમાં અમે ખેડૂતો અને મજૂરો માટે ઘણી વસ્તુઓ લાવી રહ્યા છીએ. આ રીતે રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસ પાર્ટી ખેડૂતોની સ્જીઁની માંગને ચૂંટણીનો મુદ્દો બનાવશે. આ પહેલા કોંગ્રેસે સરકારી કર્મચારીઓને જૂની પેન્શન જેવા મુદ્દે પણ વચનો આપ્યા હતા.

નિષ્ણાતો માને છે કે કોંગ્રેસ પાસે કોઈ ચોક્કસ વર્ગના મત બાકી નથી. આવી સ્થિતિમાં તે ખેડૂતો, કર્મચારીઓ અને મજૂરોના નામે ચૂંટણી લડવાની રણનીતિ પર કામ કરી રહી છે. રાહુલ ગાંધીએ પણ પોતાના વચનમાં આની ઝલક આપી હતી. એમએસપી ગેરંટી એક્ટ વિશે વાત કરતાં તેમણે ૧૫ કરોડ પરિવારોને મળતા લાભોનો ઉલ્લેખ કર્યો. સ્પષ્ટ છે કે કોંગ્રેસ આ વચન દ્વારા મોટી વસ્તીને નિશાન બનાવવાની યોજના બનાવી રહી છે. આ સિવાય દેશમાં એવા લાખો પરિવારો છે જે સરકારી નોકરીઓ સાથે જાેડાયેલા છે. આવી સ્થિતિમાં તેમના માટે જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાનું વચન પણ મહત્ત્વપૂર્ણ બની શકે છે.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *