ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત આગેવાનો હસ્તે શિલ્ડ આપવામાં આવ્યા તેમજ શૈક્ષણિક માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગિરીશભાઈ વાળાએ કરેલું તેમજ આયોજનમાં બહારથી પધારેલ આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં અને માંગરોળ વાલ્મિકી સમાજના પ્રમુખ, આગેવાનો ,વડીલો, માતાઓ ,યુવાનોને સાથે લઈ આયોજકો ગિરીશભાઈ વાળા, હિમંતભાઈ પરમાર, હિતેશભાઈ ગરીયલ તથા રવીભાઈ ટીમણીયા એ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવેલી હતી


