ખાંભા શ્રી લેરીયા ખોડીયાર આશ્રમ ખાતે શ્રી કાળભૈરવ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી તા.૦૯/૦૮/૨૦૨૪ ના રોજ ખાંભા ખાતે પીપળવા રોડ હાથસણી ડુંગર પાસે પ્રકૃતિના ખોળે આવેલ શ્રી લેરિયા ખોડીયાર આશ્રમ ખાતે મહંત શ્રી જગદેવીદાસ માતાજી સાનિધ્યમાં હવન કુંડ તેમજ શ્રી કાળભૈરવ દાદાની પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ખાંભા તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉમટી પડી હતી.પધારેલ ભાવિક ભક્તો માટે પ્રસાદ(ભોજન)ની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ મહોત્સવ માં વિવિધ સમાજના અગ્રણીઓ,રાજકીય આગેવાનો,પત્રકાર મિત્રો વગેરે ખાસ હાજરી આપી હતી.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કેતનભાઈ ઘોઘારી તેમજ રાજુભાઈ વાળા દ્વારા કરવામાં આવ્યું હતુ….,……… સુરેસ મકવાણા ખાંભા








