Gujarat

છોટાઉદેપુર નગરમાં આવેલ દરબાર હોલ ખાતે છોટાઉદેપુર સફળતા અકાદમી દ્વારા તેજસ્વી તારલા સન્માન સમારોહ

તેમજ ફ્રી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે કેશ્વા કેરિયર અકાદમીના ડાયરેક્ટર ડોક્ટર શેહઝાદ કાઝી ઉપસ્થિત રહ્યા હતા.
છોટાઉદેપુર નગરમાં આવેલ દરબાર હોલ ખાતે છોટાઉદેપુરમાં ચાલતી સફળતા અકાદમી દ્વારા વિવિધ પરીક્ષાઓમાં પાસ થયેલ ઉમેદવારોનું સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેશ્વા કેરિયર અકાદમી ગાંધીનગરના ડાયરેક્ટર ડોક્ટર શેહઝાદ કાઝી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં તેઓની સાથે ઉપસ્થિત એસ એન કોલેજ છોટાઉદેપુર ના પ્રિન્સિપાલ વસંતભાઈ પટેલ, પૂર્વ નગરપાલિકાના કોર્પોરેટર વંદનભાઈ પંડ્યા , છોટાઉદેપુર રેન્જના RFO નિરંજનભાઇ રાઠવા સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.  આ કાર્યક્રમમાં સફળતા અકાદમી દ્વારા 200 કરતાં વધારે વિદ્યાર્થીઓ જે છોટાઉદેપુર જિલ્લામાંથી પીએસઆઇ, કોન્સ્ટેબલ સહીત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં  સફળ થયા છે. તેઓને મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યા હતા.

20240221_130841.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *