ગણેશ ચતુર્થીથી વડોદરા શહેરમાં દસ દિવસનું આતિથ્ય માણવા પધારેલા ભગવાન ગણેશજીને આજે નગરજનોએ પૂઢચ્યા વર્ષી લવકરયાના વચન લઇ ભારે હૈયે ભાવભરી વિદાય આપી હતી. સવારથી જ વડોદરા શહેરના નવલખી કુત્રિમ તળાવ સહિત વિવિધ તળાવોમાં ત્રીજીને વિદાય આપવા પરિવારજનો આવી પહોંચ્યા હતા.
પરિવારજનોએ બાપાને પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે, આવનારા વર્ષોમાં વડોદરા શહેરમાં પૂર જેવી હોનારત ન આવે તેવી કૃપા કરજો અને આવતા વર્ષે વહેલી પધરામણી કરજો.

