Gujarat

ટૂર કંપની Ease My Tripએ માલદીવની તમામ ફ્લાઈટ્‌સ સ્થગિત કરી દીધી

Ease My Trip નિશાંત પિટ્ટીએ ઠ પર પોસ્ટ કરીને કહ્યું કે,”અમે દેશ સાથે ઊભા છીએ”

લક્ષદ્વીપ અને માલદીવ આ દિવસોમાં ભારતમાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાત બાદ દેશમાં માલદીવનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ દાવો કર્યો છે કે તેઓએ માલદીવમાં તેમની આયોજિત રજાઓ રદ કરી દીધી છે. આ સાથે જ ટુર ઓપરેટરોએ પણ મોટી સંખ્યામાં રજાઓ રદ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.. માલદીવ રજાઓ માટે ભારતીયોની મનપસંદ જગ્યાઓમાંથી એક છે.

ઇન્ડિયન એસોસિએશન ઑફ ટૂર ઑપરેટર્સનું અનુમાન છે કે સોશિયલ મીડિયા પર માલદીવ વિરુદ્ધ વધી રહેલા વિરોધનું પરિણામ આગામી ૨૦-૨૫ દિવસમાં સ્પષ્ટ થઈ જશે. તેમનું કહેવું છે કે જાે કોઈ વ્યક્તિએ ફ્લાઈટ અને હોટેલ બુક કરાવી લીધી હોય તો તે કેન્સલ નહીં કરે. જાે કે, તેમનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોથી માલદીવ જવા માટે પૂછપરછ કરવામાં આવી રહી નથી.. ટૂર કંપની મેક માય ટ્રિપના સ્થાપક દીપ કાલરાએ જણાવ્યું હતું કે ભારતીયોએ હાલમાં માલદીવની પૂર્વ આયોજિત રજાઓ રદ કરી નથી. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ટ્રેન્ડની અસર આગામી દિવસોમાં સ્પષ્ટ થઈ જશે. તે જ સમયે, એસોસિએશનના પ્રમુખ રાજીવ મહેરા કહે છે કે એવી અપેક્ષા છે કે જે લોકોએ ફ્લાઇટ્‌સ અને હોટલ માટે ચૂકવણી કરી છે તેઓ આ ટ્રિપ્સ રદ કરશે નહીં. જાે કે, નવા બુકિંગની અપેક્ષા ઓછી છે..PM મોદીની લક્ષદ્વીપની મુલાકાત અને માલદીવના મંત્રીઓની ટિપ્પણીઓને કારણે ઓનલાઈન ટૂર કંપની ટૂર કંપની Ease My Tripએ માલદીવની તમામ ફ્લાઈટ્‌સ સ્થગિત કરી દીધી માલદીવની તમામ ફ્લાઈટ્‌સ સ્થગિત કરી દીધી છે. કંપનીના કો-ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (ઝ્રઈર્ં) નિશાંત પિટ્ટીએ ઠ પર પોસ્ટ કરીને કહ્યું કે અમે દેશ સાથે ઊભા છીએ. અમે લક્ષદ્વીપની મુલાકાત લેવાનું અભિયાન શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે લક્ષદ્વીપના પાણી અને દરિયાકિનારા માલદીવ જેટલા સારા છે.

અમે લક્ષદ્વીપમાં મુસાફરીને પ્રોત્સાહન આપવા માટે ખાસ ઑફર્સ લાવશું.. દિલ્હીના એક ટૂર ઓપરેટરનું કહેવું છે કે માલદીવ ભારતીયોમાં ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાને કારણે પ્રવાસમાં ફરક પડશે. ડેટા અનુસાર, વર્ષ ૨૦૨૩માં માલદીવમાં આવેલા ૧૭.૫૭ લાખ પ્રવાસીઓમાંથી સૌથી વધુ ૨.૦૯ લાખ પ્રવાસીઓ ભારતીય હતા. આ પછી રશિયા અને ચીન છે. હિંદ મહાસાગરમાં એશિયન મુખ્ય ભૂમિથી લગભગ ૭૫૦ કિમી દક્ષિણમાં સ્થિત માલદીવની વસ્તી ૫.૧૫ લાખ છે. અહીં ૧,૧૯૦ ટાપુઓ છે, જેમાંથી માત્ર ૧૯૦ જ રહેવા યોગ્ય છે. સરકારની ૯૦% આવક આયાતી માલસામાન અને પ્રવાસન ઉદ્યોગમાંથી આવે છે.

File-01-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *