ઉના SBI બ્રાન્ચ દ્વારા મૃતકના પરિવારના વારસદારને પ્રધાનમંત્રી વીમા યોજના હેઠળ રૂ.2 લાખનો ચેક અર્પણ કરાયો.
ઉના બસ સ્ટેન્ડ સામે આવેલ એસ બી આઈ એસીબી શાખામાં રાતડ ગામના રહેતા લક્ષ્મીબેન મોહનભાઇ બાંભણીયાનું સેવિંગ ખાતું ધરાવતા હતા. અને તેમનું બીમારીના કારણે અચાનક મૃત્યું થવાથી આ મહિલાનાં તેમના ખાતામાં પ્રધાનમંત્રી બીમા યોજના હેઠળ પીએમ જે.જે.બી.વાય નામનો બીમાનો ક્લેમ્પ પાસ થયો હતો. જે અંતર્ગત મૃતકના બેંક ખાતેદારના સીધા વારસદાર તરીકે તેમના પતિ મોહનભાઇ બીજલભાઈ બાંભણીયાને SBI એ સી બી બ્રાન્ચના મેનેજર અશોક આર્યા દ્વારા રૂ.2 લાખનો ચેક આપી ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવ્યાં હતાં. અને બેંકમાં ખાતા ધારક લોકોને સંદેશ આપવામા આવ્યો કે તમામ ખાતા ધારકો સરકારની પ્રધાનમંત્રી વીમા યોજના ચાલુ કરી આ યોજનાનો લાભ લઇ અને તમારા પરિવારનો કવચ બનાવો.
રિપોર્ટર સાખીબ શેખ

