Gujarat

લોકસભાની ચૂંટણીને હવે થોડાજ દિવસો બાકી છે. ત્યારે તમામ પક્ષના ઉમેદવાર મતદારોને રીઝવવાના પ્રયાસો કરી કરી રહ્યા છે

કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા અંતરિયાળ વિસ્તારના કડુલી મહુડી પહોંચ્યા હતા.જ્યા મોટી સંખ્યામાં આપનાં કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા હતા. ભાજપમા પેપરો ફૂટયા પણ કોઈ એક્શન નથી લેવાતો આ ચૂંટણી જળ જમીન ની માટે લડવું પડશે. આદિવાસીને અન્યાય થઇ રહ્યો છે. આદિવાસી વનબંધુ નહિ વનવાસી નહિ આપને આદિવાસી છે. તેવું
સુખરામ રાઠવાએ સભા સંભોઘીને જાહેરસભાના મંચ ઉપરથી ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા. સાથે સભામા આવેલા જગદીશ ઠાકોરના ભાજપ પર પર પ્રહાર કર્યા જણાવ્યું કે આ ચૂંટણી સંવિધાન બચાવવા માટે ની ચૂંટણી છે.
લાલ લીલી પાણી વેચવા ભાજપ વાળો નહિ નીકળે પોલીસની ગાડીમા આવશે.લાલા લીલા પાણી થી લલચાશે નહિ દારૂ પીવડાવી તમને મત આપતા રોકશે તે ચેતવવા આવ્યો છું.એમ તેઓએ જણાવ્યું હતું