National

ગૌતમ અદાણીએ વર્ક લાઈફ બેલેન્સ અને તેમના ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ પર વાત કરી

એક તરફ ભારતમાં વર્ક એન્વાયર્નમેન્ટ પર ચર્ચા ચાલી રહી છે, તેવા સમયે જાણીતા ઉદ્યોગકાર અને અદાણી જૂથના ચેરમેને પોતાના જીવનમંત્રના કેટલાક રહસ્યો પરથી ઉચક્યો છે પડદો.. ગૌતમ અદાણીનું માનવું છે કે, “જાે તમને જે કરો છો તે સારૂ લાગે છે, તો પછી તમારૂ કાર્ય અને જીવન સંતુલન બરાબર છે.. અદાણીએ કહ્યું કે ધ્યાન ધરતી વખતે હું મારા ભૂતકાળને વાગોળુ છું અને મારી જીવનયાત્રાનું સ્મરણ કરૂ છું. આ સ્મરણ બાદ મને અહેસાસ થાય છે કે હું માત્ર કઠપૂતળી છું, અને કોઇ શક્તિ મને હંમેશા સ્ફૂર્તિ અને પ્રેરણા આપી રહી છે.

કામને પ્રેમ અને સમય આપવાની વાત સાથે પોતાના પરિવારને પણ પૂરતો સમય આપવાની વાત અદાણીએ કરી. તેમણે જણાવ્યું કે, તારુ કાર્ય-જીવન સંતુલન મારા પર ન લાદવું જાેઈએ અને મારૂ તારા પર લાદવું ન જાેઈએ. અદાણીએ ઓછામાં ઓછા ચાર કલાક પોતાના પરિવાર સાથે ગાળવાની પણ સલાહ આપી. ગૌતમ અદાણીએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ધારાવી વિશે પણ વાત કરી.

અદાણીએ નિર્ધાર વ્યક્ત કર્યો કે હું નિવૃત્તિ પહેલા ધારાવી પ્રોજેક્ટ પૂર્ણ કરવા માંગું છું. તેઓએ કહ્યું કે છેલ્લા ૪૦ વર્ષમાં ત્રણ વખતનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે, પરંતુ હવે એવું કામ કરવાની ઇચ્છા છે કે ૧૦ લાખ લોકોને આગામી ૫૦ વર્ષ સુધી યાદ રહે. અદાણીએ દાવો કર્યો કે, અમે ૨૫ રાજ્યોમાં કામ કરી રહ્યા છીએ, જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંનેની સરકાર છે. હત્વપૂર્ણ છે કે વર્ક-લાઇફ બેલેન્સની ચર્ચાને ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિના એક સૂચનથી વેગ મળ્યો છે.