ભચાઉના રામદેવપીર વાંઢ વિસ્તારમાં કચરાના ઢગલામાંથી એક નવજાત શિશુ મળી આવ્યું છે. ત્યારબાદ વધુ સારવાર માટે બાળકને લાકડિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.
15 જૂન 2026ના રોજ નરસિંહભાઈએ 108 એમ્બ્યુલન્સ સેવાને કોલ કરીને આ અંગે જાણ કરી હતી. પોલીસે આ મામલે અજાણી માતા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ચિત્રોડ 108ની ટીમના ઈએમટી જયરામ અને પાયલોટ ભવન કોલી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
જયરામ સુથારે કચરાના ઢગલામાંથી બાળકને બહાર કાઢ્યું હતું. તેમણે બાળકની સફાઈ કરી, ઓક્સિજન અને પ્રાથમિક સારવાર આપી હતી.
ત્યારબાદ વધુ સારવાર માટે બાળકને લાકડિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.

108 ટીમની આ સરાહનીય કામગીરી બદલ ઈએમઈ હરેશ વાણિયા અને પ્રોગ્રામ મેનેજર જયેશે ટીમની પ્રશંસા કરી હતી. પોલીસે આ મામલે અજાણી માતા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.