Gujarat

વડતાલમાં શિક્ષાપત્રી જયંતિની ઉજવણી રવિસભા અને હોમાત્મક યજ્ઞ યોજાશે

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલમાં આગામી 2 ફેબ્રુઆરીના રોજ રવિવારે 199 મી શિક્ષાપત્રી જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સવારે 8થી 12 કલાક દરમિયાન યોજાનાર આ મહોત્સવમાં 97મી રવિસભા અને શિક્ષાપત્રી હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં સત્સંગ મહાસભાના પ્રમુખ નૌત્તમપ્રકાશદાસ કથાવાર્તા કરશે. આ દિવસે સદ્દગુરુ બ્રહ્માનંદ સ્વામીનો 253મો અને સદગુરુ નિષ્કુળાનંદસ્વામીનો 259મો પ્રાગટ્ય દિન […]

Gujarat

194મા સમાધિ મહોત્સવમાં મોરારીબાપુની છઠ્ઠી કથા, 12 દિવસ ચાલશે ભવ્ય ઉજવણી

નડિયાદના પ્રખ્યાત સંતરામ મંદિરમાં 1 ફેબ્રુઆરીથી 194મા સમાધિ મહોત્સવની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ 12 દિવસીય મહોત્સવમાં વિશેષ આકર્ષણ મોરારીબાપુની ‘માનસ યોગીરાજ’ શીર્ષક હેઠળની કથા રહેશે, જે તેમની નડિયાદમાં છઠ્ઠી અને સમગ્ર જીવનની 951મી રામકથા છે. મહોત્સવ દરમિયાન બ્રહ્મલીન સંત નારાયણદાસજી મહારાજની પુણ્ય દ્વિદશાબ્દી, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠીની […]

Gujarat

વિદ્યાર્થીઓએ ગણિત પ્રદર્શનમાં ભાગ લઈ વૈદિક ગણિત અને મેથેમેજીકની માહિતી મેળવી

ગુજરાત વિજ્ઞાન સંમેલન 2025 અંતર્ગત વડનગરની શ્રી વિવેકાનંદ વિદ્યાલયમાં વૈદિક ગણિત અને મેથેમેજીકનો વિશેષ વર્કશોપ યોજાયો હતો. 29 જાન્યુઆરી 2025ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય કલ્પેશભાઇ અખાણીએ વિદ્યાર્થીઓને વૈદિક ગણિત અને મેથેમેજીકની વિવિધ પદ્ધતિઓથી માહિતગાર કર્યા હતા. કાર્યક્રમમાં વિજ્ઞાન શિક્ષિકા પુરીબેન ચૌધરીએ ગણિતના વિવિધ મોડેલ્સનું પ્રદર્શન કર્યું હતું. વિવેકાનંદ વિદ્યાલય ઉપરાંત સૈનિક શાળા અને […]

Gujarat

350થી વધુ વિદ્યાર્થીઓએ માનકો અને પર્યાવરણ વિષયક કાર્યક્રમમાં લીધો ભાગ

પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ભારતીય માનક બ્યુરો-અમદાવાદના સહયોગથી એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 29 જાન્યુઆરી 2025ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં માનકોનું મહત્વ અને આબોહવા પરિવર્તન જેવા મહત્વના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પાટણ જિલ્લાની બે શાળાઓના 44 વિદ્યાર્થીઓ ઉપરાંત સાબરકાંઠા, મહેસાણા, સુરત અને દાદરા નગર હવેલીથી આવેલી શાળાઓના 310 વિદ્યાર્થીઓ […]

Gujarat

કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે બે મિનિટનું મૌન પળાયું

પાટણ જિલ્લા સેવા સદન ખાતે 30મી જાન્યુઆરી, 2025ના રોજ શહીદ દિવસની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં બલિદાન આપનાર વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સવારે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું, જે દરમિયાન સમગ્ર દેશની જેમ પાટણમાં પણ વાહન વ્યવહાર અને […]

Gujarat

પરમીટ વગરના વાહનો પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી

પાટણ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ અરવિંદ વિજયન (IAS) દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર, ચૂંટણી પ્રચાર દરમિયાન વાહનોના ઉપયોગ માટે ખાસ પરમીટની જરૂર રહેશે. આગામી 16 ફેબ્રુઆરી 2025ના રોજ ચાણસ્મા, હારીજ અને રાધનપુર નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજાશે. સાથે જ સિધ્ધપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 7ની […]

Gujarat

થર્મલ ચોકડીથી ગાયત્રી નગર સુધીના માર્ગ પર બંને બાજુ કચરાના ઢગલા

સેવાલિયા થર્મલ પાવર સ્ટેશનના થર્મલ ચોકડી થી ગાયત્રી નગર સુધી વીટીપીએસના મુખ્ય માર્ગ પર બંને બાજુ કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. પાવર સ્ટેશન દ્વારા રોડની બંને બાજુ દરરોજ સફાઈ કરવામાં આવતી હતી. જે બંધ કરી દેવાતાં રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. થર્મલ પાવર સ્ટેશનની ચોકડી મુખ્ય માર્ગ થી પ્રવેશ દ્વારા સુધી બંને […]

Gujarat

મહેમદાવાદની ઈન્ડસઈન્ડ બેંકના પૂર્વ મેનેજરે 9 ગ્રાહકોના ખાતામાંથી 21.24 લાખની ઉચાપત કરી

મહેમદાવાદના કાચ્છાઈ ગામે આવેલી ઈન્ડસઈન્ડ બેંકમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બેંકના પૂર્વ મેનેજર દ્વારા જ મોટી રકમની ઉચાપત કરવામાં આવી હોવાનું ખુલ્યું છે. નડિયાદના વાણીયાવાડ રોડ પર રહેતા ધ્રુવ હરેકૃષ્ણ દરજી, જેઓ એપ્રિલ 2023થી ડિસેમ્બર 2024 સુધી આ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા, તેમણે 9 ગ્રાહકોના ખાતામાંથી કુલ રૂપિયા 21.24 લાખની ઉચાપત […]

Gujarat

નડિયાદમાં રાતોરાત વિશેષ મિટિંગ ગોઠવાતાં 200થી વધુ બ્રાંચ પોસ્ટ ઓફિસો બંધ રહી

ખેડા જિલ્લામાં આવેલી પોસ્ટ ઓફિસોમાં મોટી સંખ્યામાં ખાતાધારકો આવતાં હોય છે. જેમાં જિલ્લામાં આવેલી 200 થી વધુ બ્રાંચ પોસ્ટ ઓફિસ બુધવારે બંધ હાલતમાં જોવા મળી હતી. અધિકારી દ્વારા મિટીંગમાં કર્મચારીઓને હાજર રહેવાનું ફરમાન કરવામાં આવતાં બ્રાંચ ઓફિસો બંધ રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મીટીંગમાં ખેડા, કપડવંજ, નડિયાદ અને ખંભાતની ઓફિસના કર્મચારીઓને બોલાવવામાં […]

Gujarat

નડિયાદ ગ્રેવિટી મોલમાં શોર્ટ સર્કિટથી આગ લાગી, વીજ પુરવઠો ખોરવાતા લોકો અટવાયા

નડિયાદ શહેરના ઉત્તરસંડા રોડ ઉપર અંબા આશ્રમની સામે આવેલા ગ્રેવિટી મોલમાં બુધવારે સાંજે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. નડિયાદ શહેરના ઉત્તરસંડા તરફ જતા માર્ગ ઉપર નહેર નજીક આંબા આશ્રમની સામે આવેલ ગ્રેવિટી મોલમાં બુધવારે સાંજે આગ લાગતા અફરાતફરી મચી હતી. દુકાનદારો દ્વારા ઘટનાની જાણ નડિયાદ ફાયર […]