રાજવી કવિ કલાપીની ૧૨૫’મી પૂણ્યતિથી નિમિત્તે લાઠીમાં કલાપી તીર્થ સંગ્રહાલય ખાતે સ્મરણાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું…
લાઠી રાજવી કવિ કલાપીની ૧૨૫’મી પૂણ્યતિથી નિમિત્તે લાઠીમાં કલાપી તીર્થ સંગ્રહાલય ખાતે સ્મરણાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.લાઠીના પ્રાંત ઓફિસર શ્રી નિરવ બ્રહ્મભટ્ટ સાહેબની વિશેષ ઉપસ્થિતિ માં લાઠીના નાગરિકોએ કવિ કલાપીને પૂષ્પગુચ્છ અર્પણ કરી સ્નેહ વંદન કર્યા હતા.કલાપી તીર્થ સંગ્રહાલયની મુલાકાતે આવતા કલાપીના ચાહકોને કવિના જિવન કવન વિશે માહિતી આપતી સુંદર ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું પ્રસારણ પ્રાંત ઓફિસર શ્રી નિરવ બ્રહ્મભટ્ટસાહેબના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું, કલાપીના પરમચાહક અને અભ્યાસુ શ્રી રાજેશ પટેલ લિખિત દિગ્દર્શિત “કલાપી ધ પોએટ ઓફ લવ” ફિલ્મનું નિર્માણ શ્રી ઘનશ્યામભાઈ શંકરના સૌજન્યથી કરવામાં આવ્યુ છે અને લાઠી રાજવી પરિવારના સભ્યો અમેરિકા સ્થિત શ્રીમતિ હર્ષાબા રસિકસિંહજી ગોહિલ અને સંજયસિંહજી તથા અજયસિંહજી ગોહિલના સહયોગથી હાઈટેક ટેલીવિઝન અને સાઉન્ડ સિસ્ટમ કલાપી તીર્થને ભેટ સ્વરૂપે આપવામાં આવી છે..
કલાપી તીર્થ સંગ્રહાલયની મૂળ કલ્પના અને સંરચના કરનારા એક સમયના અમરેલીના કલેક્ટર અને કવિ હ્રદયી શ્રી પ્રવિણભાઈ ગઢવીને અંજલિ આપી બે મિનિટનું મૌન પાળીને તેમના આત્માને પરમશાંતિ મળે એ માટે પ્રાર્થના કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન લાઠી કલાપી તીર્થ સંગ્રહાલયના ટ્રસ્ટીઓ
પૃથ્વીરાજસિંહજી રાણા, મહેન્દ્રસિંહજી ગોહિલ, રવજીભાઈ ડાંગર, ધીરુભાઈ રીઝીયા, શાંતિલાલ વિસનગરા, પ્રવીણચંદ્ર બુદ્ધ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન શ્રી નરેશભાઈ સાગરે કર્યું હતું…
રિપોર્ટ નટવરલાલ ભાતિયા