અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસૂરિયાના વરદ હસ્તે થયો શુભારંભ
શ્ રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.કે હાઇસ્કુલ, સાવરકુંડલા તથા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી,અમરેલી એનએસએસ વિભાગના સંયુક્ત ઉપક્રમે શ્રી બોઘરીયાણી ખોડીયાર માતાજીની નિશ્રામાં તારીખ ૨-૧-૨૫ને ગુરુવારના રોજ “ખાસ વાર્ષિક શિબિર” નો ઉદઘાટન સમારંભ યોજાયો.

સુરેશભાઈ પાનસૂરિયા(ઉપાધ્યક્ષ જિલ્લા ભાજપ,અમરેલી)ના અધ્યક્ષ સ્થાને આ ઉદઘાટન સમારોહનો પ્રારંભ થયો. મુખ્ય મહેમાન તરીકે જન્મેન્જયભાઈ ચૌહાણ(AEI deo કચરી,અમરેલી),જયેશભાઈ રાદડિયા(ઉપસરપંચ,ધજડી), ભીખુભાઈ આજગિયા (આચાર્ય,ધજડીપરા પ્રા.શાળા), મુકુંદભાઈ નાગ્રેચા(મેને.ટ્રસ્ટી નૂતન કેળવણી મંડળ),સુરેશભાઈ રંગણી(ખોડિયાર ડેરી) તથા અન્ય ધજડી ગામના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને અધ્યક્ષશ્રી તથા મહાનુભાવોના વરદહસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી.શાળાના પ્રિન્સીપાલ ચેતનકુમાર ગુજરીયાએ પુષ્પરૂપી શબ્દો દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું.તથા શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત મહેમાનોને પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી આવકારવામાં આવ્યા હતા. ધજડીપરા પ્રાથમિક શાળાની બહેનો દ્વારા સુંદર મજાનું સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું.
શ્રી કે.કે હાઇસ્કુલની વિદ્યાર્થીની જમોડ નિશા દ્વારા ભરતનાટ્યમનું સુંદર નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક ઉદબોધનમાં શ્રી જન્મેજયભાઈ ચૌહાણસાહેબ દ્વારા એનએસએસ પ્રવૃત્તિનો મૂળભૂત હેતુ અને ઉદ્દેશ શિબિરાર્થીઓને સમજાવ્યો હતો. મુકુંદભાઈ નાગ્રેચા અને અધ્યક્ષશ્રી સુરેશભાઈ પાનસૂરિયા દ્વારા વિદ્યાર્થીઓમાં સેવાભાવના,ગ્રામ સફાઈ ,શિસ્ત ,નિયમિતતા તથા ચારિત્ર ઘડતર થાય એ બાબત ઉપર મનનીય વક્તવ્ય આપ્યું હતું અને કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થી બહેનોને રોકડ રકમ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમનું સફળ સંચાલન એન.એસ.એસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર વર્ષાબેન પટેલે ખૂબ જ સરસ રીતે કર્યું હતું. તથા આભારવિધિ કેમ્પ કો-ઓર્ડીનેટર આપાભાઈ માંજરીયાએ કરી હતી.પ્રિન્સિપાલ ચેતનકુમાર ગુજરીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રોગ્રામ ઓફિસર વર્ષાબેન પટેલ તથા કેમ્પ કો-ઓર્ડીનેટર આપાભાઈ માંજરીયા તથા જયંતીભાઈ પટેલ,રીનાબેન નાગર, કોમલબેન મકવાણા,હેતલબેન કાચા, શિલ્પાબેન બાલધિયા,મનીષાબેન વાળા,સલીમભાઈ તથા કિશોરભાઈ બોડલા તથા સમગ્ર શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.કાર્યક્રમને અંતે પ્રસાદ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.નૂતન કેળવણી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન ઘેલાણી તથા મેનેજીંગ ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા તથા સમગ્ર ટ્રસ્ટીગણે સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી.
બિપીન પાંધી સાવરકુંડલા

