અમદાવાદ થી કાચા કેળા ભરી રાજસ્થાન તરફ જઈ રહેલ એક ટેમ્પો પાલનપુર એરોમા સર્કલ નજીક બ્રિજ ઉપરથી પ્રસાર થઈ રહ્યો હતો. દરમિયાન ટાયર ફાટતા ટેમ્પો પલટી ગયો હતો. જેના ચાલક વાઘારામ આસુરામ રબારી ( ઉં.વ.65) ને ઇજાઓ થઈ હતી. જેને 108 ના પાયલટ સાદિકભાઈ શેખ અને એએમટી ગંગારામ ચૌધરીએ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

