મેંદરડા : ખાતે પ્લેન ક્રેશના મૃતકો ને શ્રદ્ધાંજલિ રામધુન પ્રાર્થના કાર્યક્રમ યોજાયો
પાદર ચોક આંબેડકર ચોક ખાતે અમદાવાદ માં ગત તા.૧૨/ ૬/૨૦૨૫ ના રોજ અમદાવાદ થી લંડન જતું પ્લેન મેઘાણીનગર વિસ્તાર માં પ્લેન ક્રેશ થતાં ખૂબ મોટી દુર્ઘટના થતા પ્લેનમાં બેઠેલા મુસાફરો સહિત આશરે ૨૭૪ જેટલા લોકોનુ મૃત્યુ થતાં ચોમેર ગમગીની છવાઈ ગયેલ હતી
જે અંતર્ગત મેંદરડા ખાતે તમામ મૃતાત્માઓ ના આત્માને શ્રધ્ધાંજલિ આપવા માટે પ્રાર્થના,રામધૂન,મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વંદે માતરમ સેવા સમિતિ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ,વિશ્વ હિન્દુ પરિષદ, ધાર્મિક ઉત્સવ સમિતિ અને નગરના સર્વે ધર્મ પ્રેમી જનતા દ્વારા તમામ મૃતાત્માઓ ના આત્મકલ્યાણ માટે અને તેમના પરિવારજનો પર ઓચિંતી આવી પડેલ દુઃખદ પરિસ્થિતિને પહોંચી વળવા ઈશ્વર દુ:ખ સહન કરવાની શક્તિ આપે અને તમામ આત્માઓ ને મોક્ષાર્થે રામધુન બોલાવી બે મિનિટનું મૌન પાળી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી
રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા