અમરેલી જિલ્લા પંચાયત ખાતે આયોજિત અમૃત ખેડૂત બજારની ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન મત્સ્યદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મુલાકાત લીધી હતી.
આ દરમિયાન તેમણે પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો અને પ્રાકૃતિક કૃષિનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધીને પ્રોત્સાહન પૂરૂં પાડ્યું હતું.
જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિનું ભવિષ્ય ઉજળું છે અને આવનારો સમય પ્રાકૃતિક કૃષિનો છે. સાથે જ પ્રાકૃતિક કૃષિને સર્વ હિતકારી છે. પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો સીધા ગ્રાહકોને પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કરી શકે તે માટે અમૃત આહાર બજારનું આયોજન કરવામાં આવે છે.
આ તકે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, કલેકટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા અને આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર મહેશ ઝીડ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

