Gujarat

25 તારીખ સુધી યાર્ડની તમામ કામગીરી બંધ રહેશે, ખેડૂતોને સૂચના

વેરાવળ એપીએમસીએ ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને વેરાવળ માર્કેટિંગ યાર્ડ આગામી ત્રણ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એપીએમસીના સેક્રેટરી કનકસિંહ પરમારે જણાવ્યું કે, તારીખ 25 સુધી યાર્ડની તમામ કામગીરી બંધ રહેશે. આ નિર્ણય યાર્ડમાં આવતા ખેડૂતો અને વેપારીઓને નુકસાન ન થાય તે હેતુથી લેવામાં આવ્યો છે. ખેડૂતોને પણ આ ત્રણ દિવસ દરમિયાન યાર્ડમાં ખેત ઉપજ ન લાવવા સૂચના આપવામાં આવી છે.

આ નિર્ણયથી યાર્ડમાં આવતી ખેત જણસોને વરસાદથી થતા નુકસાનથી બચાવી શકાશે. વેપારીઓ અને ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન યાર્ડની મુલાકાત ન લેવા વિનંતી કરવામાં આવી છે.