રાજકોટ-દીલ્હી ખાતેથી ૩૬ કલાકમાં હેમખેમ શોધી કાઢી લાવી તેના વાલીને શોપતી ભક્તિનગર પોલીસ.
રાજકોટ શહેર તા.૯/૬/૨૦૨૫ ના રોજ ગઇ તા.૫/૬/૨૦૨૫ ના રોજ ફરીયાદી પોલીસ સ્ટેશન ખાતે આવી પોતાની ફરીયાદ જાહેર કરેલ કે, પોતાના દિકરા ઉ.૧૫ વાળાને કોઇ અજાણ્યો ઇસમ લલચાવી ફોસલાવી લાલચ આપી કે અન્ય કોઇ ઇરાદે તેઓના કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી લઇ ગયેલની ફરીયાદ જાહેર કરતા ફરીયાદીની ફરીયાદ પરથી ભક્તિનગર પો.સ્ટે. ભારતીય ન્યાય સહીતા અધિનીયમ એકટની કલમ-૧૩૭(૨) મુજબનો ગુન્હો દાખલ કરવામા આવેલ છે. આ ગુન્હાની ગંભીરતા જોતા ભોગબનનાર બાળકને કાઇ નુકશાન થાય તે પહેલા શોધી લેવા સારૂ ઉપરી અધિકારી નાઓએ સુચના તેમજ માર્ગદશર્ન આપેલ હોય, જે અન્વયે P.I મયુરધ્વજસિંહ સરવૈયા નાઓના સીધા માર્ગદશન હેઠળ સર્વેલન્સ જે.જે.ગોહીલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ ટેક્નીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સીસથી તપાસ કરતા ભોગબનનાર બાળક સુરેન્દ્રનગર ખાતે હોવાનુ જાણવા મળેલ જેથી સુરેન્દ્રનગર તપાસ કરતા ભોગબનનાર બાળક સુરેન્દ્રનગર ખાતેથી મળી આવેલ ન હતો. તે દરમ્યાન ટેક્નીકલ સોર્સીસથી આ બાળક મહેસાણા-અમદાવાદ તરફ હોવાનું જાણવા મળેલ જેથી મહેસાણા ખાતે તપાસ કરતા મહેસાણા બાળક બાબતે માહીતી મળેલ ન હતી. જેથી તુરત અમદાવાદ રેલ્વે સ્ટેશન તથા બસ સ્ટેશન ખાતે બાળકની તપાસ કરતા હ્યુમન સોર્સીસથી જાણવા મળેલ કે, બાળક દિલ્લી તરફ ગયેલ, જેથી ગુન્હાની ગંભીરતા જોતા તુરત પોલીસ ટીમ જેમા મહાવિરસિંહ મહોબ્બતસિંહ તથા પ્રકાશભાઇ લાલજીભાઈ ને દિલ્હી તપાસમા જવા રવાના કરેલ જેઓએ દિલ્હી ખાતે ન્યુ દીલ્હી એરપોર્ટ, મેટ્રો રેલ્વે સ્ટેશન, આજુ બાજુની હોટલોમાં બાળક બાબતે તપાસ કરતા હ્યુમન સોર્સીસથી બાળક પહરગંજ વિસ્તારમાં હોવાની માહીતી મળતા પહરગંજ વિસ્તારમાં આવેલ તમામ હોટલો તથા હોટલની આસપાસ ઉભી રહેતી ટેક્સી ચાલક તથા રીક્ષા ચાલકને બાળક બાબતે પુછપરછ કરતા હ્યુમન સોર્સીસથી બાળકને નોઇડા વિસ્તારમા જોયેલની માહીતી મળેલ જેથી તપાસમા ગયેલ પોલીસ સ્ટાફ નોઇડા વિસ્તારમાં જઇ નઇડા વિસ્તારમાં આવેલ જુદા-જુદા સેકટરમાં હોટલો તથા ટેક્સી સ્ટેન્ડમાં બાળક બાબતે તપાસ કરેલ, જેમા નોઇડા મેટ્રો રેલ્વે સ્ટેશન ખાતે તપાસ કરતા, બાળક ત્યાથી મળી આવેલ અને ટેક્નીકલ તથા હ્યુમન સોર્સીસથી તપાસ કરી ૧૫૦૦ કી.મી. નુ અંતર કાપી ૩૬ કલાકમાં ભોગબનનારને શોધી કાઢી તેના વાલીને શોપી આપેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.