Gujarat

સાવરકુંડલાના રઘુવંશી સમાજના અગ્રણી અને નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેન ભરતભાઈ માનસેતાના જન્મદિવસ નિમિત્તે શહેરના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી

સાવરકુંડલા લોહાણા સમાજ અગ્રણી તેમજ નાગરિક સહકારી બેંકના વાઈસ ચેરમેનશ્રી તેમજ  શહેરની અનેક સંસ્થા સાથે જોડાયેલ ભરતભાઈ માનસેતાને જન્મદિવસની હાર્દિક શુભકામના સહ ઈશ્વર આપને તંદુરસ્ત અને દીર્ઘાયુ જીવન સાથે સંસારના સઘળા સુખો પ્રદાન કરે અને પ્રગતિના સર્વોત્તમ શિખરો સર કરે એવી શુભકામનાઓ પણ તેમના શુભેચ્છકો દ્વારા પાઠવવામાં આવી રહી છે. ભરતભાઈ પોતે મિતભાષી અને મિલનસાર સ્વભાવ ધરાવતા હોવાથી સાવરકુંડલા શહેરમાં બહોળા પ્રમાણમાં શુભેચ્છકોનો વર્ગ ધરાવે છે.
બિપીન પાંધી સાવરકુંડલા