ભાયાવદરમાં સાગર ચોકથી રેલવે સ્ટેશન રોડ પર ખાડા અને કીચડ હોવાથી વિદ્યાર્થીઓ તેમના વાલીઓ તથા રાહદારી તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ત્યારે આ રોડ ને શહેરનો મુખ્ય માર્ગ ગણવામાં આવે છે. નગરપાલિકા માટી નાખતી નથી અને આરએનબી નવો રોડ બનાવતી નથી.
આ રોડ મોટી પાનેલી, સીદસર, જામજોધપુર, ભાણવડ, લાલપુર અને જામનગર ને જોડે છે.તેમજ ભાયાવદર શહેરની તમામ કચેરી જેમાં નગરપાલિકા, પોલીસ સ્ટેશન, ટેલિોન એકચેન્જ, રેલવે સ્ટેશન સિટી સર્વે, તલાટી ઓફીસ, નાયબ મામલતદાર કચેરી, પોસ્ટ ઓફીસ, સરકારી હોસ્પિટલ તેમજ સરકારી શાળાઓ અને કોલેજ જેવી સંસ્થાઓ આ રોડ ઉપર આવેલ છે.

ચીફ ઓફિસર ડી.એન.કંડોરિયા દ્વારા એવું જાણવા મળ્યું હતું કે આ મુખ્ય રોડ આરએનબી વિભાગમાં આવે છે અને આ રોડને નવો બનાવવા માટે ૫ મહિના પહેલા આ માર્ગ મંજુર પણ થયો ગયો છે. પણ ક્યાં કારણોસર કામ ચાલુ થતુ નથી.
પાંચ મહિના પહેલાં રજૂઆત થઈ છેઃચીફ ઓફિસર હવે જોવાનું એ રહ્યું કે ભાયાવદર પ્રજાના મુખે એક જ ચર્ચા કોણ બનાવશે આ રોડ આર એન બી કે નગરપાલિકા
અહેવાલ વિજય રાડીયા ભાયાવદર