Gujarat

ભારત વિકાસ પરિષદ અને શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક-ચોપડાનું વિતરણ

નડિયાદમાં ભારત વિકાસ પરિષદ અને શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરના સંયુક્ત પ્રયાસથી એક મહત્વપૂર્ણ શૈક્ષણિક સહાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી આત્મ સિદ્ધિ શાસ્ત્ર રચના ભૂમિ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં બીવીપી શાખા પ્રમુખ ભાવેશ રાઠોડ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમદ રાજચંદ્ર મિશનના સેવક દીપેન પારેખ અને મંત્રી રિન્કેશ સોની પણ વિશેષ રૂપે હાજર રહ્યા હતા.

આ પ્રસંગે શાખા વાલી કુમુદ ગોર, સેવા પ્રકલ્પ સંયોજક અમિત સોની અને આઈપીપી તેજલ પંડ્યા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કારોબારી સભ્યોમાં કિરીટ શાહ, ગિરીશ ગામી, ડૉ. કિરણ મરાઠે, પ્રદીપ બારોટ, સુરેશ પંચાલ અને અલ્પેશ વ્યાસ સહિત સેવક શાખા પરિવારજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.