Gujarat

સુરેન્દ્રનગરમાં સૌપ્રથમ વાર જૈન ચારેય ફીરકાના તપસ્વી રત્નોના અનુમોદનાર્થે સમૂહ સાંજીનું આયોજન

સુરેન્દ્રનગરમાં સૌપ્રથમવાર આયોજિત અહિંસા યુવા સંગઠન દ્વારા તપસ્વી રત્નોના અનુમોદનાર્થે અને તપશક્તિ સંગીત સન્મારોહ અંતર્ગત યોજાયેલી ભવ્ય “સમૂહ સાંજી” કાર્યક્રમને સમાજ તરફથી અપ્રતિમ પ્રતિસાદ મળ્યો. તા. 30/08/2025, શનિવાર રાત્રે 9:00 કલાકે શ્રી અમીઝરા વાસુપુજ્ય સ્વામી તીર્થ (દેરાસર), સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ આ અનોખા કાર્યક્રમમાં ખુબ જ બહોળી સંખ્યામાં જૈન સમાજ ઉપસ્થિત રહ્યો.

આ સાંસ્કૃતિક સાંજે 7 સૂરીઓ તથા 7 સંગીતકારોના સંગમ દ્વારા તપના યશગાન સાથે તપસ્વ રત્નોને વધાવવાનો અનોખો ઉપક્રમ સૌએ માણ્યો. સમગ્ર કાર્યક્રમમાં ભક્તિ, તપ અને સંગીતનો અદ્વિતીય સંગમ જોવા મળ્યો.

આ પ્રસંગે શશાંક ગાંધી, કૃણાલ મેહતા, ગુંજન સંઘવી તેમજ અહિંસા યુવા સંગઠનની પૂરી ટીમ — શ્રેણિક શાહ, ઉર્વેશભાઈ ગાંધી, ધાર્મિક શેઠ, સિદ્ધાર્થ શાહ, રોનક કોઠારી, મિત કોઠારી, કુમાર શેઠ, ચિંતન શાહ, ઋષભ શાહ, નીર્મેશભાઈ શાહ — સક્રિય ઉપસ્થિતિ દર્શાવી, કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો.

સમગ્ર કાર્યક્રમ ભવ્યતા, શિસ્ત અને ભક્તિભાવથી પૂર્ણ થતાં ઉપસ્થિત શ્રોતાગણો માટે યાદગાર બની રહ્યો.