પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર
રાધનપુરના શબ્દલપુરા નજીક JIO કંપનીના ગણેશ પેટ્રોલિયમનું ઉદ્ઘાટન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનાં હસ્તે કરાયું…
*દરેક ગ્રાહકોને એક મહિના માટે સ્કીમ અંતર્ગત બજારના ભાવ કરતા પેટ્રોલ ડીઝલના બે રૂપિયા સસ્તું આપવામાં આવશે..*
પાટણ જીલ્લાના રાધનપુર ખાતે મેહસાણા રોડ શબ્દલપુરા પાટિયા નજીક jio કંપનીના પેટ્રોલ પંપ ગણેશ પેટ્રોલિયમનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે પેટ્રોલ પંપ નું ઉદ્ઘાટન કરાયું જે આ પ્રસંગે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવ અને રાધનપુરના ધારાસભ્ય લવિંગ સોલંકી અને અન્ય મહાનુભવો અને સંત બટુક મોરારીબાપુ નજુપુરા શ્રીરામ આશ્રમ અને અન્ય સાધુ સંતો અને મહાનુભાવો ની ઉપસ્થિતિ ની અંદર પેટ્રોલ પંપ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
દરેક ગ્રાહકો માટે એક મહિના માટે સકિમ જાહેર કરવામાં આવી પેટ્રોલ ડીઝલના બે રૂપિયા બજારભાવ કરતા સસ્તું આપવામાં આવશે આ પ્રસંગે મહંત ગોવિંદપુરી બાપુ લાખણેશ્વરી મહાદેવ અને પરમ પૂજ્ય નંદકિશોર બાપુ બાબરા આશ્રમ ની ઉપસ્થિતિ ની અંદર ગણેશ પેટ્રોલિયમ ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વૈશાખ વદત્રીજ ને ગુરુવારે 15.5.2025 ના દિવસે આ પ્રસંગે આવેલા તમામ મહેમાનોનું ગણેશ પેટ્રોલિયમના ઓનર ડોક્ટર વસંતભાઈ મૂળજીભાઈ ચૌધરી ગોખતર વાળા શ્રેયા હોસ્પિટલ રાધનપુર અને પરાગભાઈ આર ચૌધરી શરદ કન્સ્ટ્રકશન અને ભેમાભાઈ એમ ચૌધરી એપીએમસી ચેરમેન વારાહી અને વસંતભાઈ એસ ચૌધરી શરદ કન્સ્ટ્રકશન રાધનપુર દ્વારા આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.