Gujarat

જૂનાગઢ સંસ્થા હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર દ્વારા “અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ પ્રાચિન વિદ્યા વિભાગમાં શ્રી શિવાંશ ઓમકુમાર જોષી ઉતિર્ણ

જૂનાગઢ સંસ્થા હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર દ્વારા “અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ પ્રાચિન વિદ્યા વિભાગમાં શ્રી શિવાંશ ઓમકુમાર જોષી ઉતિર્ણ

જૂનાગઢ ભક્તકવિ નરસીંહ મહેતા યુનિ.નાં પ્રાધ્યાપક ડો. ઓમ જોષીનાં સુપુત્ર શિવાંશે ગૈારવ વધાર્યુ

જૂનાગઢ , હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર દ્વારા “અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ -૨૦૨૫-૨૬” જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત ટીમ અતુલ્ય વારસો દ્વારા થોડા માસ અગાઉ ‘અતુલ્ય વારસો ક્રીએટીવ કિડ્સ એવોર્ડની જાહેરાત કરવામાં આવેલ. જેનો મુખ્ય હેતુ ગુજરાતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને વિવિધ માધ્યમથી ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહેલ વ્યક્તિનું યોગ્ય સન્માન કરવાનું હતુ. રાજ્યભરમાંથી ૩૦૦ ઉપરાંત અરજીઓ દ્વારા નોમીનેશન મળેલ.. સૌ નામંકન કરનાર ઉમદા કાર્ય કરી રાજ્યના વારસાને ઉજાગર કરવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છો. અરજદાર સર્વે વંદનીય હોવા છતાં સંસ્થાની નોમીનેશનની મર્યાદા અને પસંદગી ટીમ દ્વારા અંતિમ યાદીમાં નક્કી થયેલ નક્કી થયેલ એવોર્ડ પસંદગી પામેલ સભ્યોની યાદી તાજેતરમાં જાહેર કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે વર્ષ ૨૦૨૨માં સ્થાનિક સ્તરે સારી કામગીરી, ફરજ નિભાવી રહેલ અને ઓછા પ્રચલિત હોય તેવા વ્યક્તિ, સંસ્થા, સમુદાયની શ્રેષ્ઠ કાર્યને પ્રોત્સાહીત કરવાનો આયામ હાથ ધરાવામાં આવ્યો હતો. આ પુરસ્કાર પાછળ હેતુ એવો છે કે સ્થાનિક સ્તરે ઉચ્ચ કક્ષાની કામગીરી નિભાવનાર અને પોતાના વિસ્તારની ઓળખસમા વ્યક્તિ, સંસ્થા, સમુદાયનું ગરીમામયી સન્માન થાય તે દિશામાં નાનકડો પ્રયાસ કાર્યરત વ્યક્તિ, સંસ્થા, સમુદાયનો જુસ્સો વધારવામાં અને જનસમુદાય સુધી આ ઓળખને પહોચાડવામાં ઉપયોગી બન્યો હતો. જેમાં સેવાકીય ક્ષેત્રોમાં ઈતિહાસ અને પુરાતત્વ, કલા અને સંસ્કૃતિ, પર્યાવરણ અને જળ સરંક્ષણ, પ્રદર્શિત કરી શકાય તેવી કલાઓ (ચિત્ર, સંગીત, રંગોળી, હસ્તકલા વગેરે) લેખન અને પ્રકાશન, હેરીટેજ પ્રવાસન રહ્યા હતા.
આ વર્ષ. ગુજરાતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને વિવિધ માધ્યમથી ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહેલ વિવિધ ક્ષેત્રમાં નિપુણતા હાંસલ કરનાર પૈકી સંગીત ક્ષેત્રે હ્રીધ્યાંશ ઓમ મછરા, કાવ્ય કેતનભાઈ મક્કડ, પ્રાચિન વિદ્યા ક્ષેત્રે શ્રી શિવાંશ ઓમકુમાર જોષી અને વેદ ગૌતમભાઈ વ્યાસ, બાળકલા ક્ષેત્રે અર્થ મૌલિકકુમાર મહેતા, વકતૃત્વમાં જયાદીત્યસિંહ ડોડિયા, બાળવાર્તા/રમતોમાં શિવ કૃપેશકુમાર ત્રિવેદી, ભરતનાટ્યમમાં દેવાંશી નરેન્દ્રભાઈ પટેલ અને આરના સંદીપભાઈ મોંગા, ગાયનમાં સિધ્ધરાજ સંજયજી ઠાકોર, કલાક્ષેત્રે સહજ ચતુરભાઈ રામાણી, અને સ્વરા મનીષભાઈ મહેશ્વરી, દુહા છંદમાં કાવ્ય ચિરાગકુમાર બ્રહ્મભટ્ટ, તબલા ઢોલ વાદનમાં નીલ ગિરીશભાઈ શ્રીમાળી, વ્યક્તિગત કલાકાર એન્જલ જગદીશભાઈ પીપલીયા, લહેર વિપુલભાઇ ઠક્કર અને જીષા ઉપેન્દ્રભાઈ પટેલ, પર્યાવરણ ક્ષેત્રે કિહાન ફિરોજખાન પઠાણ, કલાક્ષેત્રે હેત્વી કાંતિભાઈ ખીમસુરીયા,હસ્તકલા ક્ષેત્રે હિરલ નવરંગભાઈ થોરી, યોગમાં અનેરી તુષારભાઈ પટેલ એવોર્ડ પ્રાપ્ત રહ્યા હતા. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી વારસાને ઉજાગર કરવા સક્રિય એવા સૌ કલા-સંસ્કૃતિ સંવર્ધકોને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં સાંસ્કૃતિક સેલ અને પ્રાધ્યાપક વૃદ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટર મહેશ કથિરીયા

IMG-20250609-WA0105.jpg