Gujarat

મેંદરડા ખાતે આવેલ અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની સંસ્થા ની મુલાકાતે જુનાગઢ નવ નિયુક્ત મેયર

મેંદરડા ખાતે આવેલ અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની સંસ્થા ની મુલાકાતે જુનાગઢ નવ નિયુક્ત મેયર

શ્રીજી દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર બાળકોની સંસ્થા મેંદરડાના સમઢીયાળા રોડ પર કાર્યરત છે આ સંસ્થામાં ૨૧ જેટલા અતિ ગંભીર દિવ્યાંગો રહે છે ત્યારે જુનાગઢ મહાનગર પાલિકાના નવ નિયુક્ત મેયર ધર્મેશભાઈ ખાસ આ સંસ્થાની મુલાકાતે પધારેલ હતા સંસ્થાના બાળકો સાથે સમય પસાર કરી અને સંસ્થા તથા બાળકો વિશે માહિતી મેળવી હતી

સંસ્થાની સ્વચ્છતા અને સુઘડતા તથા સંસ્થામાં રાખવામાં આવેલ બાળકોની દેખરેખ થી અભિભૂત થયેલ હતા અને સંસ્થાનું પ્રાકૃતિક વાતાવરણ ખૂબ જ સુંદર છે તેવું જણાવેલ હતું

આ તકે મેયરે જણાવેલ કે ખરેખર માનવસેવા એ જ પ્રભુ સેવા ના સૂત્રને સાર્થક કરતી આ સંસ્થા આવા અતિગંભીર દિવ્યાંગો કે જેમને પોતાની દૈનિક ક્રિયાઓ નું પણ ભાન નથી. એવા બાળકોને ખૂબ જ સારી રીતે સંભાળ રાખી રહી છે આ માટે તેમણે સંસ્થાના સંચાલક મંડળને ખૂબ જ શુભેચ્છા પાઠવી હતી

અને સંસ્થાને જ્યારે પણ કોઈ જરૂર પડે ત્યારે મદદ કરવાની ખાતરી આપી હતી આ તકે સંસ્થાના સંચાલક શ્રી કૌશિકભાઇ જોશી એ નવ નિયુક્ત મેયર ધર્મેશભાઈ પોશિયા નો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને આ દિવ્યાંગ બાળકોને આવો જ પ્રેમ અને હુંફ મળતી રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી તેમ સંસ્થાના સંચાલક શ્રી કૌશિકભાઈ જોશી ની યાદીમાં જણાવવામાં આવેલ છે

રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા

IMG-20250311-WA0038.jpg