Gujarat

ગુજરાતી સાહિત્ય પરિષદ અને શિશુવિહાર બુધસભા ની બેઠક માં કવિશ્રી ઉદયન ઠક્કર ઉપસ્થિત રહેશે

ગુજરાતી સાહિત્ય પરિષદ અને શિશુવિહાર બુધસભા ની બેઠક માં કવિશ્રી ઉદયન ઠક્કર ઉપસ્થિત રહેશે

ભાવનગર ગુજરાતી સાહિત્ય પરિષદ અને શિશુવિહાર બુધસભાના સંયુક્ત ઉપક્રમે યોજનાર સર્જક ગોષ્ઠી ઉપક્રમમાં પ્રખ્યાત કવિશ્રી, ગઝલકાર, વિવેચક, અનુવાદક, સંપાદકશ્રી ઉદયન ઠક્કર ખાસ મુંબઈથી આવી શિશુવિહાર બુધસભામાં કાવ્યપાઠ કરશે
૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની ૨૩૪૬ મી બેઠક તારીખ ૦૨/૦૭/૨૫ ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ અને શિશુવિહાર બુધસભાના સંયુક્ત ઉપક્રમે સાંજે ૬-૧૫ કલાકે ડૉ. માનસીબેન ત્રિવેદી સંચાલનમાં શિશુવિહાર ખાતે યોજાશે… ગુજરાતી સાહિત્ય પરિષદના સહયોગથી શિશુવિહાર બુધસભામાં સર્જક ગોષ્ઠિ ઉપક્રમમાં પ્રખ્યાત કવિશ્રી, ગઝલકાર, વિવેચક, સંપાદક, અનુવાદક, ઉદયન ઠક્કર પધારશે. તેઓ તેમના શબ્દમાં તેમના સર્જન અને સર્જનયાત્રા વિશે ગોષ્ઠિ કરશે અને કાવ્યપાઠ કરશે…રસ ધરાવતા સૌ કવિમિત્રો અને ભાવકોએ સમયસર ઉપસ્થિત રહેવું.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250630-WA0080.jpg