Gujarat

જુનાગઢ માં ઈન્ડીયન રેડક્રોસ સોસાયટીનાં સભ્યોએ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ની મુલાકાત લઇ વિદ્યાર્થીઓ થેલેસેમિયાનું પરિક્ષણ કરાવવા જાગૃત બને તે દિશામાં આપી જાણકારી

જુનાગઢ માં ઈન્ડીયન રેડક્રોસ સોસાયટીનાં સભ્યોએ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ની મુલાકાત લઇ વિદ્યાર્થીઓ થેલેસેમિયાનું પરિક્ષણ કરાવવા જાગૃત બને તે દિશામાં આપી જાણકારી

ગુજરાત સરકારની મદદથી રેડ ક્રોસ સંસ્થા થેલેસેમિયાને લઈ કરી રહી છે કામગીરી

જૂનાગઢ તા. ૧૭, ગુજરાત પ્રભાગનાં ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી, રેડક્રોસ ભવન આશ્રમ રોડ અમદાવાદ ખાતેથી આજે સિનીયર પ્રોગ્રામ મેનેજર નિલેષ ભારતિય અને સંજય વાલંદે મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટીનાં સભ્ય સંજયભાઇએ જણાવ્યુ હતુ કે થેલેસેમિયા અંગે યુવાવસ્થાએ જાગૃતિ ખુબ આવશ્યક છે. થેલેસેમિયા માઈનોર હોવાનું સામાન્ય રીતે ઓછાો ખ્યાલ આવે છે. પરંતુ થેલેસેમિયાનાં બે માઇનોર વ્યકતિ દંપતિ તરીકે જો લગ્નગ્રંથીથી જોડાય ત્યારે તેમનાં સંતાનો મેજર થેલેસમિયા હોવાની શક્યતા વધી જાય છે. ભારતમાં સિકલ સેલ પણ એક વ્યાપક રોગ છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળ જેવા કેટલાક પ્રદેશોમાં કેટલાક સમુદાયોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. સિકલ સેલ જિનનું કેરિયર પ્રમાણ ૧% થી ૩૫% સુધી હોય છે, તેથી અનેક લોકોને સિકલ સેલ રોગ હોય છે.થેલેસેમિયા અને સીકલ સેલ રોગ હેમોગ્લોબિનોપથીઝ તરીકે ઓળખાય છે. આ બંને રોગ લોહીના રક્તકણોને લગતી સમસ્યા સર્જે છે. થેલેસેમિયા અને સીકલ સેલ રોગ એક પ્રકારે જીનેટીક ડિસઓર્ડર છે જે લોહીમાં રહેલા હિમોગ્લોબિનના સ્ટ્રક્ચર અને પ્રોડક્શનને નકારાત્મક અસર કરે છે.ગુજરાતના નાગરિકોમાં થેલેસેમિયા અને સિકલ સેલ જેવી હેમોગ્લોબિનોપથીઝને નાબૂદ કરવા માટે રેડ ક્રોસે “થેલેસેમિયા અને સિકલ સેલ પ્રિવેન્શન પ્રોગ્રામ” શરૂ કર્યો છે.આ પ્રોગ્રામ દેશની અન્ય આરોગ્ય સુરક્ષા સંસ્થાઓ માટે પણ પ્રેરણાસ્રોત બની ગયો છે. ગુજરાતની રેડ ક્રોસની આ કામગીરીએ અનેક રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય સ્તરના બહુમાન પ્રાપ્ત કર્યા છે.
સિનીયર પ્રોગ્રામ મેનેજર નિલેષ ભારતિયે વિગતો આપતા જણાવ્યુ હતુ કે “સમગ્ર ગુજરાતમાં થેલેસેમિયા અને સિકલ સેલ રોગો અંગે અવરનેસ વધારવામાં પણ રેડ ક્રોસનું મોટું યોગદાન છે.ગુજરાત રેડ ક્રોસ આ પ્રોગ્રામને વધુ આગળ વધારવા માટે સક્રિયપણે કાર્યરત છે. હાઇ રિસ્ક સમુદાયોને જોડીને, નવા વિસ્તારમાં જાગૃતિ અભિયાન શરૂ કરવાં અને ગર્ભવતી મહિલાઓ માટે વધુ સક્ષમ પ્રિ-નેટલ ડાયગ્નોસિસ સુવિધાઓ વિકસાવવાની નેમ સંસ્થાએ રાખી છે. ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા અત્યાધુનિક સાધનો દ્વારા માત્ર ૧૫૦ જેવી નજીવી રકમથી રક્તપરિક્ષણ કરી આપવામાં આવે છે તેવી વાત નિલેષભાઇએ જણાવી હતી.
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કૂલપતિ ડો. અતુલ એચ. બાપોદરાએ જણાવ્યુ હતુ કે થેલેસેમિયા મુક્ત ગુજરાત બનાવવા અને સિકલ સેલના નિવારણ માટે ગુજરાત રેડ ક્રોસના ઉપયુક્ત પ્રયાસો અવેરનેસ અને પ્રિવેન્શનના સ્તરે મહત્ત્વના રહ્યા છે, જે ગુજરાત માટે ગૌરવની બાબત છે.
યુનિ.નાં કૂલપતિ પ્રો.(ડો.) અતુલ એચ. બાપોદરા અને રજિસ્ટ્રાર ડો. મયંક સોનીએ ઈન્ડીયન રેડક્રોસ સોસાયટીનાં સભ્યોને આવકારી યુનિ..માં અને યુનિ. સંલ્ગન કોલેજોમાં વિદ્યાઅભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં આરોગ્યની ખેવના બાબતે અને થેલેસેમિયા પરિક્ષણ અંગે થઇ રહેલ કાર્યોની વિગતો આપી હતી.

રિપોર્ટર મહેશ કથીરિયા

IMG-20250618-WA0037.jpg