અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ અને યુવા કોંગ્રેસે ગોધરામાં કેન્ડલ માર્ચનું આયોજન કર્યું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો અને મહિલાઓએ હાજરી આપી.

અમદાવાદથી લંડનના ગેટવિક જતા એર ઈન્ડિયાના વિમાને ટેક-ઓફના માત્ર પાંચ મિનિટમાં મેઘાણી વિસ્તારમાં ક્રેશ થયું હતું.
આ દુર્ઘટનામાં વિમાનના પ્રવાસીઓ, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને રાહદારીઓ સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યા.

ગોધરાના ગાંધી ચોક ચર્ચ પાસે યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ મીકી જોસેફના નેતૃત્વમાં કોંગ્રેસ કાર્યકરો એકત્ર થયા.
તેમણે મૌન પાળી મીણબત્તી પ્રગટાવી મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ, કોંગ્રેસ આગેવાન અજિતસિંહ ભાટી સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.