વેરાવળ શહેરની પીજીવીસીએલની પેટા વિભાગ કચેરી દ્વારા તા. 29/05/2025ને ગુરુવારે 11 કેવી સીટી ફીડરનું સમારકામ હાથ ધરવામાં આવશે.
આ સમારકામને કારણે સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

વીજ પુરવઠો બંધ રહેનાર વિસ્તારોમાં બસ સ્ટેન્ડની સામેનો ભાગ, અંબાજી મંદિર રોડ, ખાદી ભંડાર પાસેનો વિસ્તાર, અમરદીપ હોસ્પિટલ, બંસીધર કોમ્પ્લેક્સ અને ઘનશ્યામ પ્લોટનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત નગરપાલિકા ઓફિસ, સ્ટાર કોમ્પ્લેક્સ, કસ્તુરબા મહિલા મંડળ રોડ, SDM ઓફિસ અને વિનાયક પ્લાઝા વિસ્તારમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે.

પીજીવીસીએલે જણાવ્યું છે કે સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની અગાઉથી જાણ કર્યા વિના વીજ પુરવઠો પુનः શરૂ કરવામાં આવશે. વીજ ગ્રાહકોને આ અંગે નોંધ લેવા સૂચના આપવામાં આવી છે.

કોઈ ઇમરજન્સી સંજોગોમાં વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીના ફોલ્ટ સેન્ટર નંબર 96876 33787 અને 02876 22210 પર સંપર્ક કરી શકાશે. વધુમાં, નાગરિકોની સલામતી માટે વીજ સ્થાપન પર યોગ્ય ક્ષમતાની ELCB લગાડવાની સૂચના આપવામાં આવી છે, જેથી વીજ અકસ્માતનું જોખમ ઘટાડી શકાય.

