તરુને વાવ્યા વિના તરી શકાશે નહીં વૃક્ષ વિના સૃષ્ટિ માં જીવી શકાશે નહીં
શાંતાબા મેડીકલ કોલેજ દ્વારા મહાવૃક્ષારોપણ અભિયાન
અમરેલી દેવભૂમિ દેવળીયા ગામથી સા કુંડલા રોડને જોડતા ત્રણ કિમી રોડની બંને બાજુ શાંતાબા મેડીકલ કોલેજ અમરેલી દ્વારા ત્રણ સો જેટલા ટ્રી ગાર્ડ સહયોગ થકી અને મનરેગા યોજનામાં ખાડા અને વાવેતર કરવામાં આવ્યું અને વૃક્ષો વાવેતર માટે રોપા જંગલખાતાના અધિકારીઓ કર્મચારીઓ ના સહયોગથી વિના મૂલ્યે આપવામાં આવ્યા જેમાં વડ.લીમડા. સરલ. કરંજ જેવા રોપણી કરવામાં આવી તેને પાણી પાવા માટે દેવભૂમિ દેવળીયા વિકાસ યુવક મંડળ સુરત દ્વારા સહકાર આપવા માટે તૈયાર દર્શાવેલા તમામ સહયોગ આપનારાઓનો આભાર. ભાવનાબેન નાથાલાલ સુખડીયા સરપંચ શ્રી દેવભૂમિ દેવળીયા ગામ પંચાયત તા જી અમરેલી ની યાદી માં જણાવ્યું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા