અહેવાલ કનુભાઈ ખાચર
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું ઐતિહાસિક સ્થાન એવું શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ ના જીર્ણોદ્ધારક એવા શા. શ્રી ધનશ્યામપ્રકાશદાસજીસ્વામી ની ૬૭ મી જન્મજયંતી ઉજવવા માટે બોટાદ ને આંગણે તારીખ ૨૬ – ૭ – ૨૦૨૫ ના રોજ ગઢડા રોડ પર TGG મુકામે ભક્તમેદની ઉમટી પડી. ભક્તોના હૃદયમાં ખૂબ જ ભાવ હતો.

સૌપ્રથમ ભગવાનનું દિવ્ય પૂજન સંપન્ન થયું. ત્યાર બાદ સ્વામીશ્રીએ કથાવાર્તા દરમ્યાન જણાવ્યું કે માતા-પિતા ભગવાન તુલ્ય છે.

સર્વ સંતો અને દુર દૂર થી આવેલા ભક્તોએ સ્વામીશ્રી નું ઉમળકાભેર પૂજન કર્યું. કેક કટીંગ કરીસૌ ભક્તોને સ્વામીજીએ પોતાના હાથે પ્રસાદ આપ્યો. સહુ ભક્તોમાં સ્વામીશ્રી પ્રત્યેના ભાવના દર્શન થતા હતા. આ પ્રસંગથી ભક્તો ખૂબ આનંદિત થયા હતા.


