ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના વિકાસ માટે રાજ્ય સરકારે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આ યોજના અંતર્ગત અંબાજી મંદિરથી ગબ્બર સુધી ભવ્ય ‘શક્તિ કૉરિડોર’નું નિર્માણ કરવામાં આવશે, જે આગામી 50 વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અનેક નવી સુવિધાઓ પૂરી પાડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ માસ્ટર પ્લાનના અમલીકરણ પર સીધી દેખરેખ રાખી રહ્યા છે.

અરવલ્લીની પર્વતમાળામાં આવેલું અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક સમા શ્રી અંબાજીમાતા મંદિર હવે ‘મૉડેલ ટેમ્પલ ટાઉન’ તરીકે વિકસાવવામાં આવશે. રાજ્ય સરકારે આ માટે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આ યોજનાનું અમલીકરણ બે તબક્કામાં થશે, જેનો પ્રથમ તબક્કો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

