Gujarat

સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે આવેલ શેલ કાંઠાવાળા હનુમાનજીના મંદિરના મહીમાની અનુપમ કહાની

સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે આવેલ શેલ કાંઠાવાળા હનુમાનજી મંદિરની એક અનોખી આભા છે. આમ તો મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કરતાં જ એક અનોખી ચૈતસિક શક્તિનો અહેસાસ થાય છે. માત્ર સાવરકુંડલા જ નહિ પરંતુ ગુજરાતના મેટ્રોપોલિટન સિટી અમદાવાદ સુરત મુંબઈ વડોદરા જેવા મહાનગરોથી આ મંદિરમાં આસ્થા ધરાવતાં અનેક ભક્તજનો અહીં દર્શનાર્થે આવે છે.
ઘણા સેવકો પગપાળા ચાલીને પણ આ મંદિરના દર્શનાર્થે પધારતાં જોવા મળે છે.આ મંદિરમાં શ્રધ્ધા ધરાવનારની મનોકામના પૂર્ણ થયે અહીં હનુમાનજીને મહાપ્રસાદ (થાળ) (લોટ) અર્પણ કરતાં અનેક ભક્તો જોવા મળે છે.
આ મંદિરના પૂજારી પ. પૂ. પરશોતમપરીએ આ હનુમાનજીના પ્રાગટય સંદર્ભે વાત કરતાં જણાવ્યું હતું કે આ મંદિરની સ્થાપના પ. પૂ. દાનબાપુએ કરી હતી. મંદિરના પ્રાંગણમાં શનિદેવનું મંદિર પણ છે. અહીં પધારતાં તમામની ભકતગણોની મનોકામના હનુમાનજી પૂર્ણ કરે છે.
લગભગ બસો વર્ષ કરતાં વધુ સમયથી આ મંદિરના અનેક પરચાંઓને વાગોળતાં વાગોળતાં એક વખત સાવરકુંડલાથી માત્ર દસ બાર કિલોમીટરના અંતરે આવેલું આ મંદિરના હનુમાનજીના દર્શન કરીને ધન્ય બની જવાય છે.
   
હનુમાન જયંતિના દિવસે અહીં દૂર દૂરથી ભાવિકો દર્શનાર્થે ઉમટી પડે છે લગભગ પાંચ છ હજાર લોકો મહાપ્રસાદ ગ્રહણ કરે છે.
એમ પણ આ મંદિરના પૂજારી પૂ. પરશોતમપરીએ જણાવ્યું હતું. સાવરકુંડલાના શશીકાંતભાઈ ગઢીયા જેવા અનેક ભાવિકો આ મંદિરમાં અતૂટ શ્રધ્ધા ધરાવે છે.
બિપીન પાંધી સાવરકુંડલા