આ દિવસે ચલાલાના સરકારી પ્રાથમિક શાળાના એ નિવૃત ચિત્ર શિક્ષક સુલેમાનભાઈ દલને કેમ ભૂલાય.?
ચલાલાના એ નિવૃત ચિત્ર શિક્ષક સુલેમાનભાઈ દલનું ઘર એટલે જીવતું જાગતું રેડિયો મ્યુઝીયમ
સા વરકુંડલાના પત્રકાર બિપીનભાઈ પાંધીએ પણ તેમના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શિક્ષણ દરમિયાન ચિત્રનું શિક્ષણ લીધેલ.
મચ્ છુ ડેમની ઘટના હોય કે રંગભૂમિના રંગો નામનો રાજકોટ રેડિયો સ્ટેશનનો યાદગાર કાર્યક્રમ આ તમામ બાબતો સાથે દલની યાદો જોડાયેલી છે
૩૨બેન્ડનો રેડિયો પણ તેમની પાસે ઉપલબ્ધ છે. આ રેડિયો સ્ટીમરમાં વપરાતો હોવાનું અનુમાન છે
રે ડિયો ઉપરાંત જૂની ઈલેક્ટ્રોનિક ચીજો જેમ કે સ્પીકર, રેર ગ્રામોફોન પ્લેયર, હાથથી સંચાલિત વિડિયો કેમેરા જેવી કિંમતી ચીજવસ્તુઓનો પણ દુર્લભ ખજાનો તેઓ ધરાવે છે
રે ડિયો સાથે પ્રકૃતિ પ્રત્યે પણ અનહદ પ્રેમ ધરાવતાં હોવાથી તેમના ઘરે તેઓની પાસે વિવિધ
અને થોરની વિવિધ પ્રજાતિઓનો પણ સંગ્રહ ધરાવે છે

આજે ૧૩ ફેબ્રુઆરી એટલે વિશ્વ રેડિયો દિવસ અને વિશ્વ રેડિયો દિવસ નિમિતે અમરેલીના ચલાલા ગામના નિવૃત્ત શિક્ષક સુલેમાન દલનું ઘર એટલે જાણે રેડિયો મ્યુઝિયમ વાલ્વવાળા રેડિયોથી લઈને અત્યાધુનિક વિવિધ પ્રકારના ૪૦૦ રેડિયોનો સંગ્રહ ધરાવતા સુલેમાન દલ રેડિયોના ખરા ચાહક અને સાધક છે. મુંબઈની ચોર બજારથી લઈને અલંગ સમેત જુદાં-જુદાં શહેરોમાંથી વિવિધ પ્રકારના રેડિયો એકઠા કર્યા ને સંગ્રહ કરી મ્યુઝિયમ બનાવેલા તમામ રેડિયો ચાલુ હાલતમાં રાખતા સુલેમાન દલની રેડિયો પ્રત્યેની ભાવનાઓ ઉડીને આંખે વળગે તેવી છે બંધ અને બિસ્માર હાલતમાં હોય તેવાં રેડિયોને પણ મૂળભુત સ્થિતિમાં લાવી અને રેડિયોને શરુ કરવાનો શોખ ધરાવતા સુલેમાન દલ એટલે રેડિયો મેન’ ઓફ ચલાલા કહેવાય છે.

૧૩ ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં “વિશ્વ રેડિયો દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. સ્માર્ટ ફોનના યુગમાં આજે પણ આપણો રેડિયો એટલો જ સાંપ્રત છે અને હયાત છે ત્યાં સુધી કે મોબાઈલમાં રેડિયોનો સમાવેશ કરવો પડ્યો એટલી તો એ રેડિયોની મહત્તા છે ‘વિશ્વ રેડિયો દિવસ’ની તવારીખ ચકાસતા જાણવા મળે છે કે, યુનેસ્કો દ્વારા ૧૩ ફેબ્રુઆરી, ૨૦૧૨ના રોજ પ્રથમવાર વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષે પણ તા.૧૩મીને ગુરૂવારે જ્યારે સમગ્ર વિશ્વમાં રેડિયો દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે અમરેલી જિલ્લાના ચલાલા ગામના નિવૃત્ત શિક્ષકનો રેડિયો પ્રેમ સૌને પ્રેરણા આપનારો છે. રેડિયો આજે પણ ભૂતકાળ જેટલો સાંપ્રત છે જો કે, હવે રેડિયોનું સ્વરુપ બદલાઈ ગયું છે.

એક જમાનામાં વાલ્વવાળો એન્ટેનાથી ચાલતો રેડિયો આજે લોકોના મોબાઈલથી લઈને નાઈટ લેમ્પ સુધી પહોંચી ચૂક્યો છે આ સ્થિતિમાં ચલાળાના રેડિયો સંગ્રાહક સુલેમાનભાઈ દલના રેડિયો સંગ્રહ વિશે અને તેમના રેડિયો પ્રેમ વિશે જાણવા જેવું છે સુલેમાનભાઈ દલના ઘરમાં પ્રવેશતા જ ચોતરફ રેડિયો જોવા મળે છે. ઘરના જુદાં-જુદાં ભાગોમાં જ્યાં જુઓ ત્યાં ફક્ત રેડિયો જ નજરે પડે છે આ તમામ રેડિયો આજે પણ શરુ છે અને વર્કિંગ કન્ડિશનમાં છે ૭૯ વર્ષીય સુલેમાનભાઈ દલ પાસે વિવિધ કંપનીઓનાં, વિવિધ મિકેનિઝમથી ચાલતા અને વિવિધ પ્રકારના અને આકારના ક્યાંય જોવા ન મળે તેવાં અતિ દુર્લભ કહી શકાય તેવાં રેડિયો પણ છે .આ રેડિયો ફક્ત સંગ્રહ માટે નથી પરંતુ તેની એક એક ઝીણવટભરી બાબતોનો તેઓ અભ્યાસ કરે છે. તેમને રેડિયોના એક- એક પાર્ટ વિશે જાણકારી હોય છે બંધ હાલતમાં મળી આવેલા રેડિયોના અસલ પાર્ટ ગમે ત્યાંથી શોધી અને તેઓ જાતે જ રિપેર કરી તેને શરુ કરે છે. તેમની પાસે આ પ્રકારના અનેક રેડિયો છે. વર્ષ ૧૯૬૪માં અમરેલી ખાતે સુલેમાનભાઈ દલ ટેકનિકલનો અભ્યાસ કરવા ગયા ત્યારથી જ તેમને ઈલેક્ટ્રોનિક ચીજો અને ખાસ કરીને રેડિયોનો શોખ હતો. રેડિયોના વેચાણની દુકાન હતી એટલે રેડિયો સાથે ખૂબ લગાવ હતો. જો કે, રેડિયો સંગ્રહની શરૂઆત નોકરીમાંથી નિવૃત્તિ બાદ, વર્ષ ૨૦૦૦ થી કરી હતી. આ રેડિયોનો સંગ્રહ કરતા કરતા આજે સુલેમાનભાઈ પાસે વાલ્વવાળા વિવિધ ૯૨ કરતાં વઘુ રેડિયો છે જયારે રરર કરતાં વધુ જેટલા ટ્રાન્ઝિસ્ટર રેડિયો મળીને કુલ ૪૦૦ રેડિયો જેટલાં સંગ્રહમાં છે આ તમામ રેડિયો વર્કિંગ કન્ડિશનમાં છે સુલેમાનભાઈ એ સંગ્રહમાં રહેલા રેડિયોમાં અનેક બેન્ડવીથ ધરાવતા રેડિયોનો સમાવેશ થાય છે. જેમાં વધુમાં વધુ ૩૨ બેન્ડનો રેડિયો પણ છે. આ રેડિયો સ્ટીમરમાં વપરાતો હોવાનું અનુમાન છે મચ્છુનો ડેમ તૂટવાની ઘટના હોય કે પછી ‘રંગભૂમિના રંગો’ નામનો રાજકોટ સ્ટેશનનો યાદગાર કાર્યક્રમ આ તમામ બાબતો સાથે સુલેમાનભાઈ દલની યાદો, રેડિયોના કારણે જ જોડાયેલી છે તેઓ રેડિયોના ચાહક-સાધક અને રેડિયો મેન’ છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી રેડિયો ઉપરાંત સુલેમાનભાઈ દલ પાસે જૂની ઈલેટ્રોનિક ચીજો જેમ કે સ્પીકર, રેર ગ્રામોફોન પ્લેયર, ચેન્જર, હાથથી સંચાલિત વીડિયો કેમેરા જેવી કિંમતી ચીજોનો પણ દુર્લભ ખજાનો છે. આ ઉપરાંત તેઓ પાસે ફૂલો અને થોરની વિવિધ પ્રજાતિઓનો પણ સંગ્રહ છે જે રેડિયો સાથે પ્રકૃતિ સાથેનો લગાવ દર્શાવે છે. તેમની પાસે દેશ આઝાદ થયો એ પહેલાના અતિ દુર્લભને ક્યારેય કલ્પના ન હોય એવા રેડિયો જોવા મળી રહ્યા છે. રેડિયોનો ઈતિહાસ વિશે વાત કરીએ તો આકાશવાણીની માહિતી મુજબ ભારતમાં વર્ષ ૧૯૨૩માં ભારતમાં રેડિયો ક્લબ ઓફ બોમ્બે નામનું પહેલું અને ખાનગી રેડિયો દ્વારા પ્રસારકાર્ય શરુ થયું હતું. તેના પાંચ જ મહિના બાદ નવેમ્બર ૧૯૨૩ માં ‘કલકત્તા રેડિયો ક્લબ’ની સ્થાપના થઈ. સપ્ટેમ્બર ૧૯૩૫ માં એમ.બી. ગોપાલાસ્વામીએ “આકાશવાણી નામનું ખાનગી રેડિયો સ્ટેશન શરુ કર્યું હતું. જો કે તેના એક જ વર્ષ પછી ૮ જૂન ૧૯૩૬ ના રોજ બધા જ સરકારી, ખાનગી પ્રસારકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ઓલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના કરવામાં આવી. દેશની આઝાદી પછી પહેલીવાર વર્ષ ૧૯૫૬ માં ‘ઓલ ઇન્ડિયા રેડિયો’નું નામ “આકાશવાણી રાખવામાં આવ્યું. ગુજરાત રાજયમાં આઝાદી પહેલાં જ્યારે દેશી રજવાડાંઓનું રાજ હતું ત્યારે સૌ પ્રથમ તત્કાલીન બરોડા સ્ટેટના ખાતે રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા વર્ષ ૧૯૩૯માં રેડિયો સ્ટેશન શરુ કરવામાં આવ્યું હતું, જે આઝાદી બાદ સરકારને સોંપી દેવામાં આવ્યું હતું. ઈ.સ.૧૯૪૯માં અમદાવાદમાં રેડિયો સ્ટેશનનો આરંભ કરવામાં આવ્યો હતો. ત્યારે સુલેમાનભાઈ દલનો રેડિયો પ્રેમ થકી આજે સુલેમાનભાઈ દલને રેડિયો મેનનું બિરૂદ મળ્યું છે.
બિપીન પાંધી સાવરકુંડલા