Gujarat

યુનિવર્સલ ફાઉન્ડેશન ઇનટર્નશિપ-૨૦૨૫ સુરત સમગ્ર દેશની સૌથી મોટી અને વિના મુલ્યે ઇન્ટર્નશીપ.

યુનિવર્સલ ફાઉન્ડેશન ઇનટર્નશિપ-૨૦૨૫ સુરત
સમગ્ર દેશની સૌથી મોટી અને વિના મુલ્યે ઇન્ટર્નશીપ.

પીડીપીયુ અને નિરમા યુનિવર્સિટી તથા બીજી ત્રણ કોલેજોના ૧૬૦ થી વધુ સ્ટુડન્ટો આ ઇન્ટર્નશિપમાં જોડાયા.

સુરત યુનિવર્સલ ફાઉન્ડેશનની અધ્યક્ષતામાં સુરતમાં વૃક્ષારોપણ, સાયબર ક્રાઇમ અગે એવરનેસ, સ્વચ્છ ભારત મિશન, તાપી શુધ્ધીકરણ, ફાયર ટ્રેનિંગ, સોશ્યલ ડિસ્પ્લિન, ફસ્ડ રેસ્ક્યુ તાલિમ એમ સાત વિષયો સાથે ૨૧ દિવસ તથા ૧૪ દિવસ માટેની વિનામુલ્યે ઇન્ટર્નશીપ ચાલુ કરવામાં આવી.યુનિવર્સલ ફાઉન્ડેશન હંમેશા વિનામુલ્યે સરક્ષા, લોકજાગૃતિ તથા વિવિધ તાલિમ આપવાના કાર્યો સાથે જોડાઇને રાષ્ટ્રવે સેવા આપતી સંસ્થા છે, જેમાં ગાંધીનગર, અમદવાદ સ્થિત બંને યુનિવર્સિટીના ટોટલ ૧૬૦ જેટલા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સોશ્યલ ઇન્ટર્નશીપ માટે હાજર થયા જેમાં પ્રથમ દિવસે સાયબર ક્રાઇમ એવેરનેસ, બીજે દિવસે વૃક્ષારોપણ તથા ત્રીજા દિવસે તાપી શુદ્ધિકરણ અને સ્વચ્છ ભારત મિશન જેવા ચાર વિષયો સાથે આગળ જતા ફાયર તાલીમ તથા ફલ્ડ રેસક્યુ તાલીમ નું આયોજન કરવામાં આવ્યું અને આગળ ટ્રેનિંગ સતત ચાલુ છે, આ સાત વિષયો ઉપર એક વિષયને એક દિવસ પ્રેક્ટીકલ તથા બાકીના ત્રણ દિવસ થીયરીકલ લઈ ટોટલ ૨૧ દિવસમાં સાત વિષયો પૂર્ણ કરવામાં આવશે અને તમામ વિદ્યાર્થીઓને રાષ્ટ્રની સેવા સાથે સ્વચ્છ સામાજીક વર્તન કેવી રીતે થાય તેનો સ્પષ્ટ રીતે પરિચય આપવામાં આવશે અને ૧૪ મે દિવસે તથા ૨૧ મે દિવસે એમ બંને યુનિવર્સિટી ના સ્ટૂડન્ટસને વારાફરતી યુનિવર્સલ ફાઉન્ડેશન ઇન્ટર્નશીપના સર્ટીફીકેટથી સર્ટિફાઇડ કરશે અને આ સર્ટિફિકેટ સાથે અંતિમ દિવસે સુરત ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સાથે એક મુલાકાત થશે જેમાં ડિસ્ટ્રિક્ટ કલેકટર તમામ વિદ્યાર્થીઓને તેની ઇન્ટરશીપ પૂર્ણ કર્યા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સરાહના આપશે.વિનામૂલ્યે આયોજીત આ ઇન્ટર્નશીપ કરાવવા માટે યુનિવર્સલ ફાઉન્ડેશનનો એક મુખ્ય હેતુ એ હતો કે સમાજને જાગૃત કરવો, સમાજને આડંબર તથા અંધશ્રદ્ધામાંથી બહાર લાવી, જીવને જોખમે પણ સ્વચ્છતાના કે સુરક્ષાના અભિયાનો હાથ ધરી આવનારા સમયમાં એક સ્વચ્છ, સુરક્ષિત અને ભણતરમાં ગણતર સાથેના અભ્યાસુ અને અનુભવી સમાજની રચના થાય, રાષ્ટ્રમા તથા ગુજરાતમાં ભાંડ, ભવાઈ, ભુવાઓ તથા ગેરમાર્ગે દોરનારા લોકો દ્વારા ભોળા લોકોને ધર્મના નામે પાખંડ આદરી છેતરવામાં આવે છે તે બંધ થાય, રાષ્ટ્ર પ્રત્યે ચાહત ઉભી થાય વિશેષમાં યુનિવર્સલ ફાઉન્ડેશનના અધ્યક્ષ પ્રકાશકુમાર વેકરીયા દ્વારા સમાજના આગેવાનો, ધર્મના ધુરંધરો, સંતો મહંતો તથા વ્યાસપીઠના આધિપતિઓને એક સુંદર સંદેશ પણ પાઠવવામાં આવ્યો કે સમાજને આડંબર અને અંધશ્રદ્ધામાંથી બહાર લાવી, ભોળી પ્રજાને સાચા અને સારા રસ્તાઓ માટે સાચા પથદર્શક બનો, જેથી કરીને રાષ્ટ્રધર્મ અને સમાજધર્મ જીવંત અને ખુશહાલ રહે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250607-WA0054-0.jpg IMG-20250607-WA0057-1.jpg IMG-20250607-WA0053-2.jpg