ઈરાની અથનીક મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ઈરાનની સંસદે યુએન પરમાણુ નિરીક્ષક સંસ્થા સાથે સહયોગ સ્થગિત કરવાના બિલને મંજૂરી આપી હતી. આ પગલું ઇઝરાયલ સાથેના હવાઈ યુદ્ધને અનુસરે છે જેમાં ઈરાનના લાંબા સમયથી ચાલતા દુશ્મને કહ્યું હતું કે તે તેહરાનને પરમાણુ હથિયાર વિકસાવવાથી રોકવા માંગે છે.
આ બિલ, જેને કાયદો બનવા માટે ઈરાનની બિનચૂંટાયેલી ગાર્ડિયન કાઉન્સિલ દ્વારા મંજૂરી મળવી આવશ્યક છે, તેમાં એવી શરત મૂકવામાં આવી છે કે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) દ્વારા ભવિષ્યમાં કરવામાં આવતા કોઈપણ નિરીક્ષણ માટે સુપ્રીમ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ દ્વારા મંજૂરીની જરૂર પડશે.
રાજ્ય મીડિયા દ્વારા સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાકર કાલિબાફને ટાંકવામાં આવ્યા હતા કે ઈરાન તેના નાગરિક પરમાણુ કાર્યક્રમને વેગ આપશે.
તેહરાન પરમાણુ શસ્ત્રો મેળવવાનો ઇનકાર કરે છે અને કહે છે કે આ મહિને ૈંછઈછ દ્વારા ઈરાનને તેની અપ્રસાર જવાબદારીઓનું ઉલ્લંઘન જાહેર કરવાના ઠરાવે ઇઝરાયલના હુમલાઓનો માર્ગ મોકળો કર્યો હતો.
કાલિબાફને ટાંકવામાં આવ્યા હતા કે IAEA એ ઈરાનના પરમાણુ સુવિધાઓ પરના હુમલાની નિંદા કરવા માટે હાજર થવાનો પણ ઇનકાર કર્યો હતો અને “તેની આંતરરાષ્ટ્રીય વિશ્વસનીયતા વેચાણ માટે મૂકી દીધી છે.”
“મને લાગે છે કે આપણા પરમાણુ કાર્યક્રમ અને અપ્રસાર વ્યવસ્થા અંગેના આપણા દૃષ્ટિકોણમાં ફેરફાર થશે, પરંતુ કઈ દિશામાં જશે તે કહેવું શક્ય નથી,” વિદેશ પ્રધાન અબ્બાસ અરાકચીએ આ અઠવાડિયે કતારમાં કહ્યું હતું.

