ઉત્તર પ્રદેશ સરકારે વાહનોના ઉત્સર્જનને રોકવા માટે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના યુપી ક્લસ્ટરમાં આવા વાહનો પર તબક્કાવાર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યા બાદ નોઈડા અને ગાઝિયાબાદમાં ડીઝલ ઓટોરિક્ષા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
એનસીઆર જિલ્લાઓમાં વધતા વાયુ પ્રદૂષણને પહોંચી વળવા માટે એક વ્યાપક કાર્ય યોજના લાગુ કરવામાં આવી રહી છે. બાગપત પણ ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ પછી સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરશે.
રાજ્ય સરકારના એક પ્રકાશન અનુસાર, આ ક્ષેત્રમાં પ્રદૂષણમાં મુખ્ય ફાળો આપનાર તરીકે રસ્તાની ધૂળની ઓળખ કરવામાં આવી છે, અને કાર્ય યોજનામાં રસ્તાના પુન:વિકાસ, મજબૂત ધૂળ નિવારણ પગલાં અને મોટા પાયે સ્વચ્છતા અભિયાનોને પ્રાથમિકતા આપવામાં આવી છે.
ગૌતમ બુદ્ધ નગર અને ગાઝિયાબાદમાં હવે ડીઝલ ઓટોરિક્ષા પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. મેરઠ પ્રાદેશિક પરિવહન સત્તામંડળે આ વાહનો માટે પરમિટ આપવાનું અને નવીકરણ કરવાનું બંધ કરી દીધું છે. આવતા વર્ષે ૩૧ ડિસેમ્બર સુધીમાં, મેરઠ, હાપુર, બુલંદશહેર, મુઝફ્ફરનગર અને શામલીમાં પણ ડીઝલ ઓટોરિક્ષાને તબક્કાવાર બંધ કરવામાં આવશે.
યોજનાના સંકલિત અમલ માટે, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન વિભાગના મુખ્ય સચિવને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્ય સ્તરે પર્યાવરણ વિભાગના સચિવ હેઠળ એક પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટ પણ સ્થાપિત કરવામાં આવ્યું છે, જેમાં શહેરી વિકાસ, જાહેર બાંધકામ, ગૃહ અને શહેરી આયોજન અને ઔદ્યોગિક અને માળખાગત વિકાસના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે.
નોઈડા અને ગ્રેટર નોઈડાના અધિકારીઓએ રસ્તાની બાજુની ધૂળ ઘટાડવા માટે એન્ટી-સ્મોગ ગન, સ્પ્રિંકલર્સ અને મિકેનિકલ સ્વીપિંગ સિસ્ટમનો ઉપયોગ શરૂ કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પગલાંથી હવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થવાની અને લાખો શહેરી રહેવાસીઓને ફાયદો થવાની અપેક્ષા છે.
દિલ્હી વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહી છે
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ શનિવારે જાહેરાત કરી હતી કે સરકાર શહેરભરના રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન અને સુરક્ષા કર્મચારીઓને દસ હજાર ઇલેક્ટ્રિક હીટરનું વિતરણ કરશે. તેમણે પીતમપુરામાં દિલ્હી હાટ ખાતે ઓપન એમ્ફીથિયેટર ખાતે એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી, જ્યાં તેમણે ઉદ્યોગ મંત્રી મનજિન્દર સિંહ સિરસા સાથે આ પહેલ શરૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ પગલું શિયાળાના સમયગાળા દરમિયાન સ્થાનિક ઉત્સર્જન ઘટાડવા માટે સરકારની વ્યાપક યોજનાનો ભાગ છે.
પ્રદૂષણ સામે દિલ્હીના યુદ્ધમાં, સરકારે બીજું સકારાત્મક પગલું ભર્યું છે. કોલસો અને લાકડાનું દહન દિલ્હીના પ્રદૂષણના સ્ત્રોતોમાંનું એક છે. તે ઘટાડવા માટે, અમે ઇઉછ ને દસ હજાર ઇલેક્ટ્રિક હીટરનું વિતરણ કરવાનું નક્કી કર્યું છે અને લોકોને લાકડા બાળવા અને પ્રદૂષણ ન ફેલાવવા વિનંતી કરીશું, એમ ગુપ્તાએ જણાવ્યું હતું.

